• પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના બાળપણના કિસ્સાઓ પર આધારિત

  • 'અટલ'સિરિયલ માટે મેકર્સે 300 બાળકોના ઓડિશન લીધા
  • રિલીઝ પહેલા નાના પરદા પર 'અટલ'નામે સિરિયલનું નિર્માણ

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન કવન પર આધારિત ફિલ્મ 'મેં અટલ હું'ના રિલીઝ પહેલા નાના પરદા પર 'અટલ'નામે સિરિયલનું નિર્માણ થઈ રહ્યું છે. આ સિરિયલમાં અટલ બિહારી વાજપેયીના બાળપણના કિસ્સાઓ પર પ્રકાશ પાડવામાં આવશે. આ માટે અટલ બિહારી વાજપેયીની બાળ પ્રતિભા સાથે મેળ બેસે તેવા બાળ કલાકારની પસંદગી મેકર્સ માટે ખૂબ જરૂરી હતી.જેના માટે 300થી વધારે બાળકોના ઓડિશન લેવામાં આવ્યા હતાં. જેમાંથી મૂળ ગુજરાતના કચ્છી માંડુ અને હાલ મુંબઈમાં વસેલા વ્યોમ ઠક્કરની પસંદગી કરવામાં આવી છે. એન્ડટીવી પર પ્રસારિત થનાર આ ધારાવાહિકના મુખ્ય પાત્ર વ્યોમ ઠક્કર પોતાના પાત્ર વિશે વાત કરતા કહ્યું કે, 'હું આપણા સ્વ. વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં વહેલાં વર્ષો દર્શાવવા માટે ભારે રોમાંચિત છું. મેં આપણાં ઈતિહાસનાં પુસ્તકોમાં અને મારા વાલીઓ પાસેથી તેમના વિશે સાંભળ્યું છે. જોકે ટેલિવિઝન શોમાં તેમના બાળપણની ભૂમિકા ભજવવા મળશે એવી ક્યારેય કલ્પના કરી નહોતી. હું ભારે રોમાંચિત છું અને આભારવશ પણ છું.'

વાજપેયી પરિવારના સાતમા સંતાન હતાં

સાત વર્ષની નાની ઉંમરે અટલ વાજપેયી પરિવારમાં પાંચમા સંતાન હતા. તેઓ ત્રણ મોટા ભાઈઓ અને એક પરિણીત બહેન અને બે નાની બહેન સાથે રહેતા હતા. તેઓ અજોડ વિચારક હતા. ઉત્સુકતા અને ઘેરા પ્રશ્નોથી ઘેરાયેલા રહેતા હતા. તેઓ તે સમયના સ્વાતંર્ત્ય સૈનિકો અને આગેવાનોની અધિનતા અને સ્વાતંર્ત્ય સૈનિકોની પસંદગીનો અર્થ જેવા મુદ્દાઓ સતત ઉજાગર કરતા રહેતા હતા. અટલની માતા તેમના આ ઉત્સુક મનને પોષવા માટે ઉત્તરો અને માર્ગદર્શન આપતા રહેતા હતા. તેઓ માતા અને સંસ્કૃતિ પ્રત્યે ઘેરો પ્રેમ ધરાવતા હતા. તેઓ તેમનો વારસો અને મુખ્ય મૂલ્યોનું સંવર્ધન કરવાના મહત્ત્વમાં વિશ્વાસ રાખતા હતા. નાની ઉમરે પણ તેઓ માન્યતાઓનું મહત્ત્વ સમજતા હતા અને હકારાત્મક વલણ અને રમૂજના ભાન સાથે અન્યોને પ્રતિસાદ આપતા હતા.


  • Follow us on: