એમેઝોન પ્રાઇમ પર સતત હિટ રહેલી `મિર્ઝાપુર' સીરિઝે ઓટીટીની દુનિયામાં એક નવો ઇતિહાસ રચ્યો હતો. દર્શકોના દિલમાં કાલીન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિત અને બબલુ પંડિત જેવા પાત્રોએ ખાસ જગ્યા બનાવી લીધી છે. આવી લોકપ્રિય સીરિઝ પરથી ફિલ્મ બનાવવી એ દિગ્દર્શક માટે એક મોટું સાહસ અને જોખમ બંને હતાં, કેમ કે સીરિઝ લાંબી હોવાને કારણે તમે વાર્તાને વધારે સારી રીતે અને છુટથી કહી શકો છો જે ફિલ્મમાં શક્ય નથી. ત્રણ કલાકના સમયગાળામાં બહું જ માપી માપીને બધું બતાવવાનું હોય છે, પરંતુ ગત શુક્રવારે જ રિલીઝ થયેલી `મિર્ઝાપુર' ફિલ્મે સાબિત કરી દીધું છે કે જો વાર્તામાં પકડ અને સ્ક્રીનપ્લેમાં દમ હોય તો આ જોખમ પાર પાડી શકાય છે. જે દર્શકો સીરિઝની જ વાર્તા જોવા મળશે એવું વિચારીને ફિલ્મ જોવા ગયા હતા એમણે બેશક ઘણું નવું જોવા મળ્યું હશે અને મજાની વાત એ છે કે આ નવી વાર્તા પણ દર્શકોને ગમી જ રહી છે. એમ કહેવાય છે કે પહેલી સીરિઝની જ આ વાર્તા છે જે પહેલી સીરિઝના અમુક એપિસોડમાંથી ઉપજાવીને બનાવવામાં આવી છે.
ડાયરેક્ટરે મુળ સીરિઝ કરતાં થોડી અલગ અને વધુ આક્રમક સ્ટોરીલાઇન પસંદ કરીને મોટા પડદાની ભવ્યતાને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. સીરિઝના જાણીતા અને ફેવરિટ પાત્રો કાલીન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિત અને બબલુ પંડિત એ જ જૂના તાંડવ સાથે પાછા ફર્યા છે. પરંતુ ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઇઝ પેકેજ અને આકર્ષણ રવિ કિશનનું પાત્ર છે.
