અમદાવાદ શહેરમાં આશ્રમ રોડ પર આવેલી અને મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપના કરાયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરના માર્ગોને સાફ કરવા વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા. ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલા 1800 વિદ્યાર્થીઓ અમદાવાદને સાફ કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
અમદાવાદમાં આવેલી અને જાણીતી ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ શહેરને સ્વચ્છ કરવા નીકળી પડયાં હતા. સ્વચ્છતા અભિયાન માટે સૌ હાથમાં ઝાડું-સાવરણી લઈને રોડ પર કચરો વીણતાં અને સાફ કરતા નજરે પડયાં હતાં. વિદ્યાર્થીઓના હાથથી સફાઈ જોઈને સ્થાનિકોએ પણ આ કાર્યનો બિરદાવ્યું હતું.









