• આણંદમાં જોખમી મુસાફરી કરવા વિદ્યાર્થીઓ મજબૂર
  • ST બસમાં 56ની જગ્યાએ 100 મુસાફરો બેસાડાયા
  • તારાપુરથી આણંદ જતા વિદ્યાર્થીઓને હાલાકી

શિક્ષણ એ દરેક વિદ્યાર્થીઓનો અધિકાર છે. પણ વિદ્યાર્થીઓ આગળ વધે કેવી રીતે. સારુ શિક્ષણ, સારી શાળા તથા શાળાએ જવા માટે પુરતા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોવી જરૂરી છે. પરંતુ આણંદમાં વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. કારણ કે અહીં વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે મુશ્કેલી પડે છે.

વિદ્યાર્થીઓને પડે છે હાલાકી

એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જ્યારે પણ બસ આવે એટલે દોડાદોડી કરે છે વિદ્યાર્થીઓ. બસમાં જગ્યા રોકવા માટે દોડાદોડી કરે છે. બસ રોકાય એટલે એવી ભીડ જામે છે કે ન પૂછો વાત, જાણે કે કોઇ કોમ્પિટિશન ચાલુ થઇ હોય. 56 સીટની બસ છે જેમાં 100 વિદ્યાર્થીઓ બેસે છે. રોજે રોજ આવી સ્થિતિ જોવા મળે છે. કારણ કે બસ મર્યાદિત છે. તેથી જેવી બસ આવે કે લોકો પડાપડી કરે છે. સલામત સવારીની વાત તો કરવામાં આવે છે પરંતુ સ્થિતિ આવી જોવા મળતા સવાલ થાય કે તંત્ર કેમ બસની ફ્રિકવન્સી વધારતુ નથી.  
  • Follow us on:

[[$googlead]]