તેલુગુ દેશ પાર્ટી એટલે કે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ આજે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ વિજયવાડાની બહાર ગન્નાવરમ એરપોર્ટ નજીક કેસરપલ્લી આઈટી પાર્કમાં યોજાયો હતો. જેમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે મંગળવારે વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ, TDP, BJP અને જનસેના ગઠબંધનના નેતાઓ વિજયવાડામાં રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.


[[$googlead]]

મહત્વનું છે કે ચંદ્રબાબુ નાયડુ ઉપરાંત પવન કલ્યાણ સહિત 25 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. આંધ્ર પ્રદેશ વિધાનસભાની સદસ્યતા અનુસાર કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓ હોઈ શકે છે. પવન કલ્યાણને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકશનો પણ સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશમાં ટીડીપી-પવન કલ્યાણની જનસેના અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. આંધ્રપ્રદેશમાં NDAને 164 વિધાનસભા બેઠકો મળી છે. જેમાં ટીડીપીને 135, જનસેના પાર્ટીને 21 અને ભાજપને 8 બેઠકો મળી છે.


[[$alsoread]]

  • Follow us on: