દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે જામીન અરજી પર સુનાવણી પહેલા કેજરીવાલ પર વધુ એક મુશ્કેલીનો વધારો થયો છે. લિકર પોલિસીના કેસમાં CBIએ કેજરીવાલની પુછપરછ કરી છે. સુત્રો પાસે મળતી માહિતી અનુસાર, CBIએ જેલમાં કેજરીવાલની ધરપકડ કરી છે. CBI આજે અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરી શકે છે. જોકે આમ આદમી પાર્ટીએ કેજરીવાલ સામે CBIના કેસને ખોટો ગણાવ્યો છે. કેજરીવાલના જામીન રોકવા ભાજપનું ષડયંત્ર હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.


[[$googlead]]
  • Follow us on: