• શારદીય નવરાત્રિ પર ગોરક્ષપીઠમાં શક્તિની પૂજા
  • નવરાત્રિએ મુખ્યમંત્રીએ મંદિરની શક્તિપીઠમાં કળશની સ્થાપના કરી હતી
  • CM યોગીએ મંગળવારે મા દુર્ગાના નવમા સ્વરૂપ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરી

શારદીય નવરાત્રિની મહાનોમના અવસરે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરક્ષ પીઠાધીશ્વરના રૂપમાં નજર આવ્યા હતા. મહાનવમીના દિવસે, CM યોગી આદિત્યનાથે કન્યા પૂજન કરતી વખતે, માતા શક્તિના ચરણ પખાળ્યા હતા, તેમનું તિલક કર્યું અને પછી તેમને ભોજન કરાવ્યા પછી ગોરણીઓને ભેટ આપી. શારદીય નવરાત્રિ પર ગોરક્ષપીઠમાં શક્તિની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિએ મુખ્યમંત્રીએ મંદિરની શક્તિપીઠમાં કળશની સ્થાપના કરી હતી, ગોરક્ષ પીઠાધીશ્વર તરીકે મહાશક્તિની આરાધના કરી હતી.

[[$googlead]]

કન્યા પૂજન દરમિયાન મુખ્યમંત્રીએ બટુકનું પૂજન પણ કર્યું હતું. રવિવાર સાંજથી મુખ્યમંત્રી ગોરખનાથ મંદિરમાં રોકાયા છે. રવિવારે તેમણે અષ્ટમી તિથિના ભાવમાં મહાનિષા પૂજા અને હવનની વિધિ પૂર્ણ કરી હતી. સોમવારે પણ તેઓ જગતજનની મા આદિશક્તિની આરાધનામાં વ્યસ્ત રહ્યા હતા.

[[$alsoread]]

CM યોગીએ મંગળવારે મા દુર્ગાના નવમા સ્વરૂપ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કર્યા બાદ સવારે આઠ વાગ્યે કન્યા પૂજન કર્યું હતું. પરંપરા અનુસાર, તેમણે માતા દુર્ગાના રૂપમાં ગોરણીઓના ચરણોની પૂજા કરી, તેમના કપાળ પર રોલી, ચંદન, દહીં, અક્ષતનું તિલક લગાવ્યું. કન્યાઓને સંપૂર્ણ ભક્તિભાવથી ભોજન કરાવ્યા બાદ તેમણે દક્ષિણા અને ભેટ આપીને તેમના આશીર્વાદ લીધા હતા. પરંપરા મુજબ બટુક પૂજા પણ કરવામાં આવી હતી.

  • Follow us on: