ભરૂચમાં અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. નેશનલ હાઈવે પર 5 કિલોમીટર કરતા વધુ ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સુરત તરફ જતા માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી છે. ટ્રાફિકજામના કારણે કલાકો સુધી અનેક વાહન ચાલકો અટવાયા છે. આજે વહેલી સવારે વરસાદ બાદ વાહનોની ગતિ ધીમી પડતા નેશનલ હાઈવે પર આવેલ સાંકડા નાળાને કારણે ટ્રાફિક જામ સર્જાયો છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








