રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો આજે ગાંધીનગર પહોંચ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં પીડિત પરિવારોએ ન્યાય માટે રજૂઆત કરી છે, આ મુલાકાતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહીની આપી ખાતરી
મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. પરિવારજનોએ જવાબદાર ધારાસભ્ય, કોર્પોરેટર સામે અને મંજૂરી આપનાર અધિકારી સામે પણ ગુનો નોંધવાની માગ કરી છે સાથે જ કહ્યું કે આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માગ પણ પીડિત પરિવારોએ કરી છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ રાજકોટમાં સાંજના સમયે ટીઆરપી બિલ્ડીંગમાં આવેલા ગેમઝોનમાં મોટો અગ્નિકાંડ સર્જાયો હતો.









