ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નિકળી છે. ભગવાન આજે લોકોને સામેથી દર્શન આપવા માટે નિકળ્યાં છે. ગજરાજ આગળ અને રથમાં ભગવાન પાછળ પાછળ આવી રહ્યાં છે. રથયાત્રા મોસાળ સરસપુરમાં પહોંચી છે. જયાં તેમનું મામેરૂ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં પ્રજાપતિ પરિવાર દ્વારા ભગવાનને અર્પણ કરાયું મામેરુ. સરસપુરથી ગજરાજ થયા રવાના. જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજી ઉઠ્યા. જય જગન્નાથના નાદ ચારેયકોર ગુંજ્યા. સરસપુરથી ગજરાજ થયા રવાના. મોસાળ પક્ષના લોકોએ ભાણેજોને ઉત્સાહથી વધાવ્યા. સરસપુર રણછોડરાયજી મંદિરમાં ભક્તોનો જમાવડો જામ્યો છે. ભગવાનના દર્શને સરસપુરની સાથે રાજ્યભરમાં શ્રદ્ધાળુઓ આવતાં દરેક ઘરની છત, ચોક અને રસ્તા પર કિડીયારૂ ઉભરાય એ રીતે માનવ મહેરામણ ઉમટ્યું હતું.
લાખોની સંખ્યામાં ભકતો ઉમટતાં જાણે કે જમીન દેખાતી જ ન હતી. જોકે ભગવાન જાતે અહીં દર્શન આપવા આવ્યા હોવા છતાં સરસપુરવાસીઓને ભગવાનના દર્શન કરતા એમની સાથે આવેલા ભક્તોની સરભરામાં લાગ્યા હતા. આ વર્ષે પ્રજાપતિ યજમાનને મામેરું હાથી અને મોરની થીમ પર ભરવામાં આવ્યું હતું.









