જામનગરમાં કોલેરાના રોગચાળા વકર્યો છે. ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ નક્કર કામગીરી કરતું ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ સાથે કોંગ્રેસ દ્વારા તંત્રને ઢોલ વગાડી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કોલેરાના 9 કેસ નોંધાયા છે. તેમ છતાં પણ કોર્પોરેશનની હજુ બેદરકારી જોવા મળી છે. તો કોલેરાગ્રસ્ત વિસ્તારમાં તંત્ર માત્ર નામની કામગીરી કરી સંતોષ માને છે. આ વિસ્તારમાં યોગ્ય રીતે સફાઈનો પણ અભાવ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ મનપાએ પણ વિપક્ષના દાવાને ફગાવ્યા હતા અને કોલેરાગ્રસ્ત વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હોવાનું રટણ કર્યું હતું.


[[$googlead]]
  • Follow us on: