આગામી સમયમા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચ અને સરકાર દ્વારા આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં નવી નિમાયેલી મહાનગર પાલિકાઓમાં પણ આ વખતે ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપે આ ચૂંટણીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ભાજપ આ ચૂંટણીમાં યુવાઓને વધુ ટિકિટ આપશે. બીજી તરફ ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય ચાલુ રાખવામાં આવશે.
60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ મળવાની શક્યતા ઓછી
આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ભાજપ યુવાનોને વધારે પ્રમાણમાં ટિકિટ આપશે. ત્રણ ટર્મથી વધુ સમય ચૂંટણી લડ્યા હોય તેવા અને 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ આપવામાં નહીં આવે. આ નિર્ણયના કારણે અનેક જૂના જોગીઓના પત્તા કપાઈ શકે છે. તેમને હવે ભાજપના ધારાધોરણો અનુસાર ટિકિટ નહીં મળી શકે. અમદાવાદની વાત કરીએ તો વર્તમાન 32 કોર્પોરેટરોને આ વખતે ટિકિટ નહીં મળવાની શક્યતાઓ છે.









