ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થયું છે. રાજ્યના ખૂણે ખૂણેથી ટ્રેક્ટર રેલી રૂપે ખેડૂતોએ ગાંધીનગર કૂચ કરી હતી. આ દરમિયાન ખેડૂતોના આંદોલનને લઈને ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વીજ પોલ વળતર, MSP ગેરંટી અને ખેતી ખર્ચના મુદ્દે સરકાર સામે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે. આ આંદોલન દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કરતાં આંદોલન વધુ ચર્ચામાં આવ્યું છે. ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસ સામે ખેડૂતોની નારાજગી જોવા મળી હતી. કેટલાક લોકોએ ખેડૂતોના નામે રાજકીય રોટલો શેકાવાનો આક્ષેપ કર્યો હતો.


[[$googlead]]

આંદોલનને ટેકો આપનાર કોંગ્રેસ શું કહે છે

કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, સરકાર ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી. બનાસકાંઠામાં એક વ્યક્તિને એક કરોડનું વળતર આપે છે. બીજાને એક લાખ વળતર આપે છે. બજાર કિંમત મુજબ સરકાર વળતર આપતી નથી. 2011ની જંત્રી પ્રમાણે વળતર આપવાની નીતિ અયોગ્ય છે. ગાંધીનગર હવે પ્રજા માટે નથી પણ મળતિયા અને ઉદ્યોગપતિ માટે હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતા લાલજી પટેલે કહ્યું હતું કે, ભાજપની બી ટીમ આમ આદમી પાર્ટીએ ખેડૂતોને ભરમાયા છે. તેમણે ખેડૂતોની લડાઈને ખોટા પાટે ચડાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. અમે ખેડૂતો માટે લડ્યા હતાં લડી રહ્યાં છીએ અને લડીશું પણ ખરાં.


[[$alsoread]]
  • Follow us on: