ઈરાન ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને લઈને કતરનો એક યુવક અમદાવાદમાં ફસાયો છે. આ યુવક ગત 22 ફેબ્રુઆરીએ બિઝનેસ માટે ભારત આવ્યો હતો. 28 ફેબ્રુઆરીએ તે લખનઉથી દુબઈ જવા માટેની ફ્લાઈટમાં બેઠો હતો. પરંતુ યુદ્ધની સ્થિતિને જોતા જ ફ્લાઈટ સીધી જ અમદાવાદ આવી ગઈ હતી. આ યુવકે સરકાર પાસે કુવૈત જવાની વ્યવસ્થા થાય તેવી માગ કરી છે.


[[$googlead]]

મને એરપોર્ટની બહાર છોડી દેવામાં આવ્યો

આ યુવકે કહ્યું હતું કે, મને એરપોર્ટની બહાર છોડી દેવામાં આવ્યો છે. હવે ફ્લાઈટ દુબઈ જઈ રહી છે. મારી પત્ની અને ત્રણ બાળકો કતરમાં છે. મારો પરિવાર કતરમાં એકલો છે મને તેમની ચિંતા થાય છે. મને અહીંથી કુવૈત જવા માટે વ્યવસ્થા થાય તેવું કરો તેવી મારી માગ છે. 

[[$alsoread]]
  • Follow us on: