સુરતમાં તાજેતરમાં નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશનની ઘટના બાદ હવે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં પણ એક ભૂતિયા ડિમોલિશન થયું હોવાનું સામે આવ્યું છે. નાના ચિલોડા ખાતે આવેલી કેટલીક દુકાનો પર અચાનક બુલડોઝર ફરી વળતા સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ સમગ્ર કાર્યવાહી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલાસાએ આખા કિસ્સામાં રહસ્ય ઘેરૂ બનાવી દીધું છે. આ ઘટનામાં બિલ્ડરોનો અંદર અંદરનો ડખો હોવાની પણ વિગતો ચર્ચાએ ચડી છે. 


[[$googlead]]

દબાણ દૂર કરવાની સત્તાવાર કાર્યવાહી કરાઈ નથીઃ AMC

પ્રાપ્ત વિગતો મુજબ નાના ચિલોડા વિસ્તારમાં ડિમોલિશન કરવા પહોંચેલી ટીમે એવો દાવો કર્યો હતો કે તેઓ AMC તરફથી અનધિકૃત દબાણો દૂર કરવાની સત્તાવાર કામગીરી કરી રહ્યા છે.જે તે સમયે AMCની ટીમ હોવાનો દાવો કરીને દબાણ હટાવવાના નામે દુકાનો તોડી પાડવામાં આવી હતી.જ્યારે આ અંગે AMCના એસ્ટેટ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તંત્રએ આશ્ચર્યજનક રીતે સ્પષ્ટ રટણ કર્યું હતું કે નાના ચિલોડામાં તેમના દ્વારા આવું કોઈ જ ડિમોલિશન કે દબાણ દૂર કરવાની સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી નથી. 


[[$alsoread]]
  • Follow us on: