નાગપાંચમના ભુજીયા ડુંગરની તળેટીમાં ભુજંગદેવની પૂજા કરવામાં આવી, રાજાશાહી સમયથી આ પરંપરા ચાલી રહી છે, આજે રાજવી પરિવાર દ્વારા ભુજંગદેવની પૂજા કરી લોકમેળાને ખુલ્લો મુક્યો હતો.
નાગપંચમીના રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી
ભુજીયા ડુંગરની તળેટીમાં નાગપંચમીના રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી, આજે રાજવી પરિવાર દ્વારા ભુજંગદેવની પૂજાવિધિ કરવામાં આવી હતી, નાગ પંચમીની ભુજ સહિત સમગ્ર કચ્છભર તેની ઉજવણી કરવામાં આવી હતી, આજે તેરા ઠાકોર મયુરધ્વજ સિંહ જાડેજાના હસ્તે પૂજાવિધિ કરવામાં આવી હતી, ઇસ 1729ના સમયે અમદાવાદના શેર બુલંદખાને ભુજ ઉપર ચડાઈ કરી હતી, કચ્છના મહારાવ દેશળજીના કુંવર લખપતજી અને રોહા જાગીરના ઠાકોર જીયાજીના સરદારી હેઠળ શેર બુલંદખાનના લશ્કર સાથે ભુજીયા ડુંગર પર યુદ્ધ થયું હતું
જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાતીગળ લોકમેળાને માણ્યો હતો
આ યુદ્ધમાં નાગાબાવાની જમાત પણ યુદ્ધમાં જોડાઈ હતી, જેમાં કચ્છનો વિજય થયો હતો, આ દિવસ શ્રાવણ સુદ નાગ પંચમીનો હોવાથી . આજના દિવસે ભુજંગદેવની પૂજા કરવામાં આવે છે, ભુજીયા ડુંગરની તળેટીમાં લોકમેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાતીગળ લોકમેળાને માણ્યો હતો.









