ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટયાર્ડમાં ફરી એકવાર વિવાદાસ્પદ 'કડદા પ્રથા' સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે. આ પ્રથા હેઠળ, ખેડૂતોને તેમની જણસના નક્કી કરાયેલા ભાવ કરતાં ઓછો ભાવ ચૂકવવામાં આવે છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે. હાલમાં આ વિરોધનું મુખ્ય કારણ લીંબુના ભાવ છે. માર્કેટયાર્ડમાં લીંબુનો જે ભાવ નક્કી થયો હતો, તેના કરતાં ઓછો ભાવ ચૂકવવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ખેડૂતોનું કહેવું છે કે મહેનત કર્યા પછી પણ તેમને યોગ્ય વળતર મળતું નથી.


[[$googlead]]

યાર્ડ સત્તાધિશોને કરાઈ રજૂઆત

કડદા પ્રથાથી પીડિત ખેડૂતો એકજૂથ થઈને આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે માર્કેટયાર્ડના સત્તાધિશોને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોએ સત્તાધિશો સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે આ કડદા પ્રથા બંધ કરવામાં આવે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આ મનમાનીભરી પ્રથા પર અંકુશ નહીં આવે, તો તેઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે. ખેડૂતોની આ રજૂઆતે યાર્ડના વહીવટીતંત્રને વિચારવા મજબૂર કરી દીધું છે.


[[$alsoread]]

  • Follow us on: