રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ગુજરાતને હચમચાવનાર આ ગોઝારા અગ્નિકાંડ બાદ ઝડપાયેલા તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને ગુજરાત હાઇકોર્ટ તરફથી વધુ એક કેસમાં મોટી રાહત મળી છે.હાઇકોર્ટે TPO મનસુખ સાગઠિયાને અપ્રમાણસર મિલકતના કેસમાં જામીન મંજૂર કર્યા છે. મનસુખ સાગઠિયા દિવાળી જેલની બહાર મનાવશે.


[[$googlead]]

આરોપી મનસુખ સાગઠીયાને મળ્યા જામીન

TRP ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક ઉભી કરવાના કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. મનસુખ સાગઠીયા વિરુદ્ધ કુલ ત્રણ જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી અગાઉ બે કેસમાં જામીન મંજૂર થઈ ગયા હતા. હાલમાં બેનામી સંપત્તિ ના કેસમાં મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી ચાલુ છે. જો ઈડી વાંધો નહીં ઉઠાવે તો સાગઠિયાને આ કેસમાં પણ જામીન મળી શકે છે.


[[$alsoread]]

  • Follow us on: