[[$googlead]]
શ્રાવણ માસ નજીક આવતા જ જામનગરમાં યોજાતા પરંપરાગત શ્રાવણી લોકમેળાના સ્થળ પસંદગીને લઈને રાજકારણ ગરમાયું છે. મેળાના સ્થળ મુદ્દે કોંગ્રેસે અનોખો વિરોધ પ્રદર્શન કરીને શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના કાર્યકરોએ આંખે કાળી પટ્ટી બાંધી અને હાથમાં ફાનસ લઈને સ્ટેન્ડિંગ ચેરમેનની ચેમ્બર બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસનો આક્ષેપ

જામનગર મહાનગરપાલિકા દ્વારા જે ગ્રાઉન્ડ પર પરંપરાગત રીતે મેળો યોજવામાં આવે છે, તે જ જગ્યા પર હાલ હંગામી બસ સ્ટેશન કાર્યરત છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, આ પરિસ્થિતિ હોવા છતાં મહાનગરપાલિકા અડધી જગ્યામાં જ મેળો યોજવાની તૈયારી કરી રહી છે. આ નિર્ણયથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે અને મેળામાં આવતા લોકોને પણ હાલાકી ભોગવવી પડશે.


  • Follow us on: