[[$googlead]]
પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામકથા વાચક મોરારી બાપુએ આજે ગોપનાથમાં ચાલી રહેલી રામકથા દરમિયાન જણાવ્યું કે સનાતન ધર્મ માત્ર એક આસ્થા નથી પરંતુ આપણી વારસો અને ઓળખ છે અને તેને સુરક્ષિત રાખવું આપણી જવાબદારી છે.તેમણે શ્રોતાઓને મંદિર અને પરંપરાઓના સંરક્ષણમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી.

ભક્તિનો સાચો અર્થ આધ્યાત્મિક સિદ્ધાંતોને સમજવામાં છે : મોરારી બાપુ

મોરારી બાપુએ ભગવાન શ્રીરામ,ભગવાન શ્રીકૃષ્ણ,ભગવાન શિવ,માતા ભવાની,ભગવાન હનુમાન અને ભગવાન ગણેશને પરમ દૈવીત્વના સર્વોચ્ચ સ્વરૂપ તરીકે વર્ણવ્યા અને કહ્યું કે સનાતન ધર્મના અનુયાયીઓએ પોતાના પવિત્ર વારસાને ક્યારેય ભૂલવો ન જોઈએ.તેમણે વધુમાં કહ્યું કે કેટલીક અન્ય ધાર્મિક માન્યતાઓ હિંદુ દેવતાઓની ભૂમિકાઓને ખોટી રીતે સમજે છેપરંતુ ભક્તિનો સાચો અર્થ આધ્યાત્મિક સિદ્ધાંતોને સમજવામાં છે.

મોરારી બાપુ શ્રોતાઓને અપીલ

ચાણક્યને યાદ કરતાં બાપુએ જણાવ્યું કે આજના સમાજમાં સ્વર્ગ અને નરકના લક્ષણો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.તેમણે શ્રોતાઓને અપીલ કરી કે પોતાના ગામોમાં શ્રીરામ,શ્રીકૃષ્ણ,શિવ,ભવાની અને અન્ય દેવતાઓના મંદિરોનું સંરક્ષણ કરે.તથા જૂના મંદિરોનું જીર્ણોદ્ધાર અને સમારકામ કરે.તેમણે જણાવ્યું કે ચિત્રકૂટધામ તલગજરડાએ આવા પ્રયાસો માટે પહેલેથી જ રૂ.1.25લાખની સહાયની જાહેરાત કરી છે.ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણના આધ્યાત્મિક મહત્ત્વ વિશે બાપુએ કહ્યું,રામ બ્રહ્મના પ્રતીક છે અને કૃષ્ણ તે દિવ્ય સિદ્ધાંત છે જે આપણને ધર્મના માર્ગ પર લઈ જાય છે.


બાપુએ પવિત્ર પરંપરાઓને પ્રેરણારૂપ ગણાવી

અયોધ્યામાં 500 વર્ષ પછી શ્રીરામલલ્લાની પ્રતિમા સ્થાપનાના ઐતિહાસિક પ્રસંગ અંગે બાપુએ જણાવ્યું કે હું સ્વયં ત્યાં હાજર હતો.આપણાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ પણ હાજર હતા, પરંતુ કેટલાક મહેમાનો અન્ય પ્રતિબદ્ધતાઓનો હવાલો આપી મંદિર દર્શન માટે ગયા નહીં. તેમણે પ્રશ્ન કર્યો કે શું કોઈએ રામમંદિર,કૃષ્ણમંદિર અથવા માતા ભાવાનીના મંદિરોમાં ક્યારેય દર્શન કર્યા છે?”બાપુએ આ વાતને પવિત્ર પરંપરાઓને સુરક્ષિત રાખવા માટે પ્રેરણારૂપ ગણાવી.

આધ્યાત્મિક વારસાનું સન્માન કરીએ : મોરારી બાપુ

બાપુએ કહ્યું કે દરેક ભક્તની જવાબદારી છે કે તે સનાતન ધર્મનું પાલન કરે. તેમણે ઉમેર્યું, “આપણે આપણાં સંસ્કારોને અપનાવીને મજબૂત બન્યા છીએ.આપણે બીજાને નુકસાન નથી કરવું, પરંતુ સનાતન ધર્મની રક્ષા કરવી આપણી ફરજ છે. આજના સમયમાં ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા આધ્યાત્મિક વારસાનું સન્માન કરીએ અને તેને એકતા સાથે સુરક્ષિત રાખીએ.ગોપનાથમાં ચાલી રહેલી રામકથામાં સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી આવેલા હજારો શ્રોતાઓ ભાગ લઈ રહ્યા છે. આ મોરારી બાપુની છ દાયકાની આધ્યાત્મિક યાત્રાની 965મી કથા છે.

  • Follow us on: