દ્વારકા તાલુકાના 84 ધાર્મિક સ્થળોને તંત્રએ નોટિસ પાઠવી છે,સરકારી જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે જેમાં સ્વખર્ચે દબાણ દૂર કરવા 15 દિવસની મુદત અપાઇ છે.તંત્રનું કહેવું છે કે,મુદત પુર્ણ થતા ગેરકાયદે બાંધકામો તોડી પડાશે.આગામી દિવસોમાં તંત્ર દ્વારા વધુ એક ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે.


[[$googlead]]

દ્રારકામા અગાઉ પણ ડિમોલેશનની કામગીરી કરાઈ

દ્વારકામાં અગાઉ પણ ડિમોલેશન કામગીરી દરમિયાન 272 ગેરકાયદે મકાનો અને 7 ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા હતા.7 વાણિજ્ય દબાણો મળી કુલ 286 દબાણો દુર કરાયા હતા. ચાર દિવસમાં દાદાના બુલડોઝરે 86391 ચો.મી સરકારી જમીન ખુલ્લી કરી. ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત 471,516,000 (સુડતાળીસ કરોડ પંદર લાખ સોળ હજાર રૂપિયા) થાય છે. આજે પાંચમાં દિવસે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તંત્રની તવાઈ.

[[$alsoread]]


  • Follow us on: