[[$googlead]]
સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે લોકો આ અંગ દઝાડતી ગરમીના કારણે ત્રસ્ત થઈ ગયા છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં કાળઝાળ ગરમી પડતી હોવાના કારણે લોકો હેરાન થઈ ગયા છે. જેથી હવે ગરમીથી રાહત મેળવવા માટે લોકો હિલ સ્ટેશનોમાં ઘસારો કરી રહ્યા છે. હાલ સ્કૂલ કોલેજોમાં પણ ઉનાળાનું વેકેશન ચા રહ્યું છે તેથી મોટા ભાગના લોકો વેકેશન દરમિયાન ફરવા માટે જતાં હોય છે. ત્યારે હવે કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો હવે વેકેશન માણવા અને ગરમીથી રાહત મેળવવા માટે હિલ સ્ટેશનો પર જઈ રહ્યા છે. સમગ્ર દેશભરમાંથી પ્રવાસીઓ આવવાના કારણે હવે શિમલા ઉભયાયુ હોય તેવું જોવા મળી રહ્યું છે. મોટાભાગના લોકો ગરમીથી બચવા માટે શિમલામાં લાંબુ રોકાણ કરી રહ્યા છે. શિમલામાં તાપમાન ઓછું હોવાના કારણે લોકોને ગરમીથી રાહત મલ્ટી હોય છે. અને કાળઝાળ ગરમીથી લોકો બચી શકે છે. હાલ શિમલાના તાપમાનની વાત કરવામાં આવે તો હાલ શિમલામાં મહત્તમ 30 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે.

  • Follow us on: