વડાપ્રધાન મોદી આજે મુંબઈની મુલાકાતે જવાના છે. આ લોકસભાની ચૂંટણી બાદ PM મોદીની પ્રથમ મુંબઈ મુલાકાત હશે. પીએમ મોડી મુંબઈની મુલાકાત દરમિયાન PM મોદી 29,400 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોરેગાંવમાં NESCOમાં પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જે બાદ પરિયોજનાઓના શિલાન્યાસ બાદ PM મોદી સભાને સંબોધશે. ત્યારે PM મોદીની મુલાકાતને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ
પીએમ મોદી આજે મુંબઇને કરોડો રૂપિયાના વિકાસના કાર્યોની ભેટ આપવાના છે. તેઓ લોકમાન્ય તિલક અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર નવા પ્લેટફોર્મ્સનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત રોડ રસ્તા, રેલવે અને પોર્ટ સેક્ટર સહિત 29 હજાર કરોડથી વધારે પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે . આ ઉપરાંત તેઓ 16 હજાર 600 કરોડ રૂપિયાની થાણે બોરીવલી સુરંગ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે.









