સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિચલમાં વધુ એક બાળકનું મોત થયું છે. હાલ સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યું પામનારનો આંકડો 5 પર પહોંચ્યો છે. જ્યારે ત્રણ બાળકો હજુ સારવાર હેઠળ છે. આવતીકાલે પુના લેબોરેટરીથી સેમ્પલના પરિણામ આવશે. મોટાભાગના વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ વાયરસ ખાસ કરીને મચ્છર, મોટી માખીથી ફેલાય છે.
શું છે વાયરસના લક્ષણો?
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી નીચેના બાળકોમાં જ વધારે જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને ખુબ જ ઝડપી ટ્રીટમેન્ટ મળવી ખુબ જરૂરી છે.









