ગુજરાતના સુરતમાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. વાત કરીએ સુરતની તો સુરતમાં ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર છે. રાજકીય લોબિંગ શરુ થઈ ગયું છે. ભાજપના એક ચેરમેન બીજા ચેરમેનથી થયા નારાજ થયા હતા .સુરતમાં ધાર્મિક કાર્યક્રમ રાજકીય આખડો બની ગયો હતો. સ્ટેન્ડિંગ અને ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સામસામે આવી ગયા. શિવ મહાપુરાણકથાના બેનરો ઉતારી લેવાતા વિવાદ સર્જાયો હતો. સૌ પ્રથમ વિનામૂલ્યે 100 બેનર લગાવાની વાત હતી .પરંતુ એકાએક ઠરાવમાં ફેરફારમાં કરાયો હતો ભાજપના કોર્પોરેટરની જાણ બહાર જ આ ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ફોન પણ નથી ઉપાડી રહ્યા જો કે બેનરો ઉતારી લેવાતા શિવ ભક્તોની લાગણી દુભાઈ છે
શિવ મહાપુરાણકથના બેનરનો વિવાદ રાજકીય રંગે રંગાયો છે. 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરીને દરમિયાન આ બેનરો લગાવવાનાં પ્રસ્તાવ મંજુર હતો. પરંતુ એકાએક જ ઠરાવમાં ફેરફાર કરાતા તે ભાજપના કોર્પોરેટરની જાણ બહાર ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો .ભક્તિની શક્તિ બતાવવાને બદલે રાજકીય શક્તિ બનાવવામાં આવી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ટ્રાન્સપોર્ટ સમિતિ ચેરમેન વચ્ચે મતભેદ કે મનભેદ તે તો હવે આવનારો સમય જ બતાવશે. બેનરો ઉતારી લેવાતા શિવ ભક્તોની લાગણી દુભાઈ છે
- સુરતમાં ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો
- ભાજપના એક ચેરમેન બીજા ચેરમેનથી થયા નારાજ
- સુરતમાં ધાર્મિક કાર્યક્રમ બન્યો રાજકીય આખડો
- સ્ટેન્ડિંગ અને ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સામસામે
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ફોન નથી ઉપાડતા: મરાઠે
- શિવ મહાપુરાણકથાના બેનરો ઉતારી લેતા વિવાદ
- 100 બેનર વિનામૂલ્યે લગાવાની હતી વાત
- ઠરાવ મનપાની સ્ટેન્ડિંગ સમિતિએ કર્યો હતો
- એકાએક કયા કારણોસર ઠરાવમાં ફેરફાર ?
- ભાજપના કોર્પોરેટરની જાણ બહાર ઠરાવમાં ફેરફાર
- બેનરો ઉતારી લેવાતા લાગણી દુભાઈ: મરાઠે









