વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર મહીસાગર બ્રિજ પાસે ચાલતા કામને લઈ એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવે ઓથોરિટી દ્વારા મહીસાગર બ્રિજ પાસેના કામને લીધે વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું અને એક્સપ્રેસ હાઈવે પરનો કેટલોક ભાગ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
આ પરિસ્થિતિને કારણે આજે સવારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વાહનોની એક કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગતા વાહન ચાલકો અટવાયા હતા. ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હોય છે.









