વડોદરામાં આંગણવાડીના બિલ્ડીંગના અભાવે બાળકો આંગણવાડીથી વંચિત રહ્યા છે. હાલ બિલ્ડીંગના અભાવે આંગણવાડી મંદિરમાં ચાલી રહી છે. વડોદરાના ગોકુળનગરમાં અન્ય રૂમ ભાડે ન મળતા મંદિરમાં ભણવા માટે બાળકો મજબૂર બન્યા છે. ગોકુળનગરમાં અગાઉ કન્ટેનરમાં આંગણવાડી ચાલતી હતી. જોકે કન્ટેનરમાં કાટ લાગ્યો હોવાથી અને કરંટ આવતો હોવાથી મંદિરમાં આંગણવાડીમાં શરૂ કરવામાં આવી છે.
ગોકુળનગરમાં કન્ટેનરમાં ચાલતી હતી આંગણવાડી
તેમજ ગોકુળનગરમાં મંદિર તરફ જવાનો રસ્તો પણ કાદવ કીચડમાં ગરકાવ છે. અગાઉ આ આંગણવાડીમાં 20 બાળકો આવતા હતા પણ હવે બિલ્ડીંગના અભાવે ફક્ત 9 બાળકો આવે છે. આંગણવાડીના બિલ્ડીંગ બાબતે આંગણવાડી કર્મીઓ દ્વારા ICDCમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં નિરાકરણ આવ્યું નથી. હાલ બાળકો મંદિરમાં ભણવા માટે મજબૂર બન્યા છે.









