ભારત દેશમાં કેટલાયે એવા ધાર્મિક સ્થળ છે જ્યાં રહસ્યો અને ચમત્કારોની કોઇ કમી નથી. ભગવાન સાથે ભક્તોનું જોડાણ દર્શાવતુ સ્થળ એટલે ભગવાન ભોલેનાથના આવાજ સ્થળ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવજીની આરાધના તો કરી જ હશે. શિવજીના મંદિરની બહાર કાયમી બીરાજમાન હોય છે નંદી. નંદી ભગવાનને ખુબજ પ્રિય છે. પણ શું તમે જાણો છો એક એવુ મંદિર પણ છે જ્યાં નંદીની સ્થાપના નથી કરવામાં આવી. આવું કેમ છે જાણીએ આ રહસ્ય.


[[$googlead]]

આ મંદિર નાસિકમાં આવેલુ છે જે ગોદાવરી નદીના કિનારે સ્થિત છે. જે કપાલેશ્વર મહાદેવના મંદિરથી મશહૂર છે. પુરાણો અનુસાર ભગવાન શિવજીએ અહી નિવાસ કર્યો છે. શિવજી પોતાના પ્રિય ગણ નંદી મંદિરની બહાર નથી આની પાછળ એક પૌરાણિક કથા છે.

શું છે કથા?

[[$alsoread]]

દંતકથા અનુસાર ભગવાન બ્રહ્માના પાંચ મુખ હતા. જેમાંથી ચાર મુખે ભગવાનની ઉપાસના કરી હતી અને એકે બુરાઇ કરી હતી. આ કારણોસર, એક દિવસ શિવ ગુસ્સે થયા અને આ મુખને અલગ કરી દીધુ. ભગવાન શિવજી પર બ્રહ્મહત્યાનું પાપ લાગ્યુ. પાપથી મુક્તિ મેળવવા માટે શિવજીએ આખા બ્રહ્માંડની આસપાસ પ્રવાસ કર્યો.

ભોલેનાથ ભટકીને સોમેશ્વર પહોંચ્યા. તેને ત્યાં એક વાછરડું મળી ગયું. તેમણે શિવજીને બ્રહ્મના પાપથી છૂટકારો મેળવવા મદદ કરવા સૂચન કર્યું. તે મહાદેવને તે સ્થાન પર લઈ ગયો જ્યાં તેને આ બ્રહ્મહત્યાના પાપથી મુક્તિ મળી શકે.

તે કયું સ્થળ હતું?

જ્યાં વાછરડાએ ભગવાન શિવને લઈ ગયા તે સ્થાન રામકુંડ હતું. આ સ્થાન ગોદાવરી નદીની નજીક આવેલું હતું. ભગવાન વાછરડા દ્વારા ત્યાં પહોંચ્યા. શિવને નદીમાં સ્નાન કરવાનું કહેવામાં આવ્યું. એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવને તે પવિત્ર નદીમાં પાપોથી મુક્ત કરવામાં આવ્યા હતા.

મંદિરમાં નંદી બાબાની મૂર્તિ કેમ નહીં?

બ્રહ્મ હત્યાનાં પાપમાંથી મુક્તિ મેળવ્યા પછી, શિવજીને ખબર પડી કે તેમનો પ્રિય ગણ નંદી તેમની મદદ કરવા આવ્યો હતો. આ રીતે નંદી બાબા શિવના ગુરુ બન્યા હતા. તેથી જ ભગવાન શિવે આ મંદિરમાં પોતાની સામે બેસવાનો ઇનકાર કર્યો હતો. એ જ કારણે મહાદેવ આ મંદિરમાં બેઠા છે પણ તેમનો પ્રિય નંદી ત્યાં નથી.

  • Follow us on: