અમદાવાદ શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. શહેરના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં મેઘરાજાએ મુશળધાર બેટિંગ કરી છે. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે જેના પગલે સવારે ઓફિસ જવા નિકળેલા હજારો લોકો રસ્તા પર અટવાઇ ગયા છે. અનેક લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે. ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે જેથી બિનજરુરી બહાર ના નીકળવા એલર્ટ કરવામાં આવ્યા છે..
શેલા, ઘુમા અને બોપલમાં કમર સુધી પાણી ભરાયા
અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે શેલા, ઘુમા અને બોપલ વિસ્તારમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. શેલામાં ચારેય તરફ કમર સુધીના વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતાં લોકો ઘરોમાંથી બહાર નીકળી શકતા નથી અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. માર્ગો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સામે રોષ વ્યક્ત કરી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક કામગીરી કરવાની માંગ કરવામાં આવી છે.
ભારે વરસાદને પગલે કોર્ટ કામગીરી પર અસર
અમદાવાદમાં પડી રહેલા ધોધમાર વરસાદ અને જળબંબાકારની સ્થિતિના કારણે અદાલતી કામગીરી પણ ભારે અસરગ્રસ્ત થઈ છે. મુશળધાર વરસાદને લીધે રસ્તાઓ બંધ થતાં પક્ષકારો અને વકીલો સમયસર પહોંચી શકે તેમ ન હોવાથી વકીલોએ ન્યાયાધીશને અપીલ કરી કાર્યવાહી સ્થગિત રાખવા માંગ કરી છે. આ અંગે નીચલી કોર્ટોને રજૂઆત મોકલવામાં આવી છે અને પક્ષકારોની ગેરહાજરીને માફ રાખવા તેમજ તેમની ગેરહાજરીના કારણે કોઈ પણ પ્રતિકૂળ હુકમ (એડવર્સ ઓર્ડર) ના કરવા વિનંતી કરવામાં આવી છે.
સરખેજના શ્રીનંદનગરમાં કમર સુધી પાણી ભરાયા, બાળકોનું રેસ્ક્યૂ કરાયું
અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સરખેજના શ્રીનંદનગર વિસ્તારમાં કમર સુધીના વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચારેય તરફ પાણી ફરી વળતાં અનેક લોકો ઘરોમાં અને રસ્તા પર ફસાયા હતા. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકર પોતે સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને શાળામાં ફસાયેલા નાના બાળકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાવી તેમની સાથે વાતચીત કરી હિંમત આપી હતી.
અમદાવાદના ટ્રાફિકમાં ફસાયો CM નો કાફલો
પેલેડિયમ મોલ પાસે CM નો કોન્વો ટ્રાફિકમાં ફસાયો , ટ્રાફિક પોલીસ દ્વારા પેલેડિયમ મોલનો બંધ કટ ખુલ્લો કરી CM ને રવાના કરાયા

સિંધુભવન રોડ જળબંબાકાર, વાહનચાલકો અટવાયા
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરનો અત્યંત પોશ અને ધમધમતો વિસ્તાર ગણાતો સિંધુભવન રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તાઓ પર ઠેર-ઠેર ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને અનેક વાહનો અડધા ડૂબેલી હાલતમાં બંધ પડી ગયા છે. સ્માર્ટ સિટીના મુખ્ય માર્ગ પર જ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતાં સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.
અમદાવાદમાં મેઘતાંડવ: એક કલાકમાં 4 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા
અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મનમૂકીને બેટિંગ શરૂ કરી છે. માત્ર એક જ કલાકમાં ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારેય તરફ પાણી ભરાઈ જતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો સાથે ભારે ટ્રાફિક જામ થયો છે.
AMC એ 15 રૂટ પર ન જવા અપીલ કરી
શહેરમાં 15 જેટલાં મુખ્ય રૂટ પર ભારે પાણી ભરાયા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોને તે માર્ગો પર ન જવાની ખાસ సూચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સુરક્ષાના ભાગરૂપે પાણી ભરાયેલા અંડરપાસ બંધ કરી દેવાયા છે. વરસાદી હોનારત વચ્ચે ફાયર વિભાગને ઇમરજન્સી કોલ્સ મળવાના શરૂ થયા છે, જેમાં વૃક્ષ ધરાશાયી થવાના 10, દીવાલ પડવાના 2 અને અન્ય ફાયરને લગતા 8 કોલ નોંધાયા છે.
શીલજ ગામમાં ચારેય તરફ પાણી જ પાણી
અમદાવાદમાં પડી રહેલા આકાશી આફત જેવા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. શીલજ ગામમાં ચારેય તરફ પાણી ભરાઈ જતાં વેપારીઓ અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાની સાથે જ પાણી દુકાનોની અંદર ઘૂસી જતાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વેપારીઓનો માલસામાન પલળી જતાં તંત્રની નબળી ડ્રેનેજ કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
મીઠાખળી અંડરપાસમાં બસ ફસાઇ
અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદના કારણે શહેરની સ્થિતિ વધુ વિકટ બની છે. જળબંબાકાર વચ્ચે મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાઈ જતાં એક બસ ફસાઈ જવાની ઘટના સામે આવી છે. અંડરપાસમાં ઉંચા સ્તર સુધી પાણી ભરાઈ જવાને પગલે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અંડરપાસ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તો બંધ થતાં આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
અમદાવાદમાં સવારે 6થી 12 વાગ્યા સુધી ભારે વરસાદ
સરખેજ - 7 ઇંચ
બોપલ - 6 ઇંચ
જોધપુર ઝોનલ:-- 6 ઇંચ
જોધપુર --6 ઇંચ
સરખેજ અર્બન હેલ્થ--5 ઇંચ
મક્તમપુરા-- 5 ઇંચ
બકરોલ - 3 ઇંચ
બોડકદેવ -- સાડા પાંચ ઇંચ
થલતેજ - 5 ઇંચ
સાયન્સ સિટી- 5 ઇંચ
મેમનગર--5 ઇંચ
ચાંદલોડિયા- 4 ઇંટ
ગોતા:-સાડા ત્રણ ઇંચ
ઓગણજ--સાડા ત્રણ ઇંચ
વાસણા--4 ઇંચ
નવરંગપુરા- 4 ઇંચ
ઉસ્માનપુરા- 4 ઇંચ
રાણિપ-સાડા ત્રણ ઇંચ
ટાગોર કન્ટ્રોલ--સાડા ત્રણ ઇંચ
મોટેરા--2 ઇંચ
ચાંદખેડા--2 ઇંચ
દૂધેશ્વર--2 ઇંચ
મ્યુનિસિપલ કોર્પોરેશન- 2 ઇંચ
કાલુપુર - અઢી ઇંચ
અસારવા: -દોઢ ઇંચ
લાંભા - 2 ઇંચ
મણિનગર- 2 ઇંચ
વટવા:- 2 ઇંચ
શાંતિપુરા સર્કલ અને નિલમણી ગુરુકુલ રોડ પર સોસાયટીઓમાં ભરાયા પાણી
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદથી શાંતિપુરા સર્કલ અને નિલમણી ગુરુકુલ રોડ આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ મેમનગર સ્થિત માનવ મંદિર રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ અટવાયા છે. રસ્તાઓ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે અને તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
સવારે 6થી 12 વાગ્યા સુધી અમદાવાદમાં ભારે વરસાદ
સાઉથ વેસ્ટ ઝોન - 5 ઇંચ (સૌથી વધુ)
નોર્થ વેસ્ટ ઝોન--4 ઇંચ
વેસ્ટ ઝોન - સાડા ત્રણ ઇંચ
સેન્ટ્રલ ઝોન: અઢી ઇંચ
સાઉથ ઝોન: 2 ઇંચ
ઈસ્ટ ઝોન - અડધો ઇંચ
નોર્થ ઝોન- અડધો ઇંચ
AEC બ્રિજ પર 5 થી 6 સ્કૂલ બસો અને અનેક વાહનચાલકો અટવાયા
અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદને કારણે AEC બ્રિજ પર ભારે પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બ્રિજ પર પાણી ભરાવાને લીધે અડધા બ્રિજ સુધી વાહનોની લાંબી લાઈનો સાથે ચક્કાજામ થઈ ગયો છે, જેમાં 5 થી 6 સ્કૂલ બસો અને અનેક વાહનચાલકો વરસાદ વચ્ચે અટવાઈ પડ્યા છે. આ ઉપરાંત BRTS રૂટ પર પણ પાણી ફરી વળતાં BRTS બસો અટવાઈ જતાં મુસાફરો અને સ્કૂલેથી પરત ફરતા બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
વાસણા બેરેજના છ દરવાજા ખોલાયા
અમદાવાદમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીનું સ્તર 129 ફૂટની આસપાસ પહોંચી જતાં તંત્ર હરકતમાં આવ્યું છે, જેથી પાણીનું સ્તર ઘટાડીને 127 ફૂટ સુધી લાવવા માટે અધિકારીઓએ સિંચાઈ વિભાગ સાથે સંકલન સાધી વાસણા બેરેજના છ દરવાજા ખોલી વધારાના પાણીનો નિકાલ શરૂ કર્યો છે. બીજી તરફ શહેરમાં ભારે પાણી ભરાવાના કારણે વાહનચાલકોની સુરક્ષા માટે મકરબા, અખબારનગર, મીઠાખળી , પરિમલ , જલારામ અને શાહીબાગ અંડરપાસ સંપૂર્ણપણે બંધ કરી દેવાયા છે, જ્યારે ઉસ્માનપુરા અંડરપાસ સવારે 11 વાગ્યે આંશિક રીતે બંધ કરાતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે.
વરસાદમાં અમદાવાદ શહેરની હાલત ખરાબ
અનેક રોડ પાણીમાં ગરકાવ, શહેરમાં વરસાદને લીધે રોડ કર્યા બંધ, કમર સુધીના વરસાડી પાણી ભરાયા, જીએમડીસી રોડ બંધ કરાયો, કમર સુધીના ભરાયા પાણી, ઘાટલોડિયા, માનવ મંદિર રોડ સહિતના રસ્તા પાણી જ પાણી, જીએમડીસી રોડ પાણીમાં ગરકાવ, જોધપુર,જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદી પાણી
નિર્ણયનગર ગરનાળામાં કમર સુધી પાણી ભરાયા
અમદાવાદમાં આકાશી આફત જેવા વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. નિર્ણયનગર ગરનાળું પાણીથી છલોછલ ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. ગરનાળામાં કમર સુધી પાણી ભરાઈ જતાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે અવરજવર રોકી દેવામાં આવી છે. આ ગરનાળું બંધ થવાના કારણે આસપાસના વિસ્તારોને જોડતો મુખ્ય સંપર્ક કપાયો છે, જેથી નોકરિયાતો અને સ્થાનિકો અટવાઈ પડ્યા છે.
નવરંગપુરામાં કમર સુધી પાણી
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પડેલા ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ધોધમાર વરસાદના કારણે નવરંગપુરાના અનેક મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કમર સુધીના પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને અનેક વાહનો તણાયા તેમજ બંધ પડી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાતાં સ્થાનિકો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
સિંધુભવન રોડ જળબંબાકાર
અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરનો સૌથી ચર્ચિત અને પોશ ગણાતો સિંધુભવન રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સિંધુભવન રોડ પર ઠેર-ઠેર ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્માર્ટ સિટીના પોશ ગણાતા વિસ્તારના મુખ્ય રોડ પર જ પાણી ફરી વળતાં તંત્રની ડ્રેનેજ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે અને અનેક વાહનો અડધા ડૂબેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.
બોપલનો સ્ટર્લિંગ સિટી વિસ્તાર જળબંબાકાર
અમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે બોપલ વિસ્તારની પરિસ્થિતિ પણ કફોડી બની છે. બોપલના પોશ ગણાતા સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ છે. ખાસ કરીને સ્ટર્લિંગ સિટીના સેક્ટર-1 અને સેક્ટર-2માં ગોઠણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. સોસાયટીના કોમન પ્લોટ અને રસ્તાઓ પર પાણી ફરી વળતાં રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
https://www.instagram.com/reel/DbH6L0rGB9I/?utm_source=ig_web_button_share_sheet
ગોતા વિસ્તાર જળબંબાકાર
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગોતા વિસ્તાર સંપૂર્ણપણે પાણી-પાણી થઈ ગયો છે. ગોતાના મુખ્ય રસ્તાઓ, સોસાયટીઓના ગેટ સુધી પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે અનેક વાહનો બંધ પડી ગયા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
પરિમલ અને ઉસ્માનપુરા સહિત 4 અંડરપાસ બંધ
અમદાવાદ શહેરને મેઘરાજાએ ભારે વરસાદથી ધમરોળી નાખ્યું છે. ચારેય તરફ પાણી ભરાઈ જતાં સુરક્ષાના કારણોસર શહેરમાં કુલ 4 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. જેમાં ઉસ્માનપુરા અને પરિમલ અંડરપાસમાં પાણી ભરાઈ જતાં રસ્તા રોકી દેવામાં આવ્યા છે. અંડરપાસ બંધ થવાના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
https://www.instagram.com/reel/DbH7TiBDo2-/?utm_source=ig_web_button_share_sheet
કર્ણાવતી ક્લબ સામે જળબંબાકાર, વાહનચાલકો બેહાલ
અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરતા એસ.જી. હાઇવે પર પરિસ્થિતિ વિકટ બની છે. કર્ણાવતી ક્લબ સામેનો મુખ્ય રોડ પાણીમાં ડૂબી ગયો છે અને નવા ઓવરબ્રિજની બાજુમાં દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર બે થી અઢી ફૂટ જેટલા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા છે.
લખુડી તળાવ બહાર પાણી ભરાતા ઉસ્માનપુરા તરફનો રસ્તો બંધ કરાયો
અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારમાં પરિસ્થિતિ વણસી છે. લખુડી તળાવની બહાર માર્ગ પર ભારે પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. સ્થિતિ ગંભીર બનતાં ઉસ્માનપુરા તરફ જતો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. રસ્તા પર દોઢથી બે ફૂટ પાણી ભરાયેલા હોવાથી અનેક વાહનચાલકો અડધે રસ્તેથી જ વાહનો પાછા વાળવા મજબૂર બન્યા છે. ઉસ્માનપુરા અને લખુડી તળાવ તરફ જતાં વાહનચાલકોને આ રૂટ ટાળવા અને અન્ય વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી છે.
https://www.instagram.com/reel/DbH57yQk8no/?utm_source=ig_web_button_share_sheet
નવા વાડજમાં પાણી ભરાયા, સ્થાનિકોમાં રોષ
અમદાવાદના નવા વાડજ સ્થિત ભારત માતા સર્કલ પાસે ભારે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. મુખ્ય માર્ગ પર જ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ભારે અસરગ્રસ્ત થયો છે અને સ્થાનિકો તથા વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તાજેતરમાં જ અહીં નવો RCC રોડ બનાવવામાં આવ્યો હોવા છતાં, પહેલા જ વરસાદમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાતા તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ ભારે રોષ ઠાલવ્યો છે.
એસ.જી. હાઇવે પર સ્થિતિ વણસી
અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે એસ.જી. હાઇવે પર સ્થિતિ વણસી છે. કર્ણાવતી ક્લબ સામેનો રોડ અને નવા બનેલા ઓવરબ્રિજની બાજુમાં દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. રોડ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા ટ્રાફિક ધીમો પડ્યો છે અને અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અનેક લોકો રસ્તા પર જ અટવાયા
અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળબંબાકાર થઇ જતા ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. અનેક વાહનો બંધ પડી ગયા હતા. સવારના ઓફિસ અને ધંધા રોજગાર માટે નીકળેલા અનેક લોકો રસ્તા પર જ અટવાયા છે.
અમદાવાદના તમામ વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં છેલ્લા 2 કલાકથી અવિરતપણે ધોધમાર વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અનેક વિસ્તારોમાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. એસજી હાઇવે, વસ્ત્રાપુર, શિવરંજની, બોપલ, ઘુમા, હેલેમ્નેટ ચાર રસ્તા, ગુરુકુળ, એઇસી ચાર રસ્તા, નારણપુરા, શાસ્ત્રીનગર, અખબાર નગર, નવા વાડજ, શેલા , સરખેજ સહિતના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાયા છે.
https://www.instagram.com/reel/DbH6UPxjiDl/?utm_source=ig_web_button_share_sheet
ગણતરીના સમયમાં 2 ઇંચ જેટલો વરસાદ
મનપાના આંકડા મુજબ સરખેજ અને બોડકદેવ વોર્ડમાં માત્ર ગણતરીના સમયમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ સિવાય દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 ઇંચથી વધુ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં પણ ૧1ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ
ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળબંબાકાર થઈ ગયા છે. મકરબા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થિતિ ગંભીર બનતાં મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે પાણી ભરાઈ જવાથી રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવો પડ્યો છે.
https://www.youtube.com/watch?v=y1rFLufkZ_U
વસ્ત્રાપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ
પશ્ચિમ વિસ્તારના પોશ ગણાતા વસ્ત્રાપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ સિવાય ડી-કેબિન કાળીગામ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. કાળીગામ હેલ્થ સેન્ટરની અંદર સુધી પાણી ઘૂસી જતાં દર્દીઓ અને તબીબી સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર માર્ગો પર જળભરાવ થતાં સમગ્ર શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને વહીવટી તંત્ર પાણીના નિકાલ માટે દોડતું થયું છે.
આ પણ વાંચો Gujarat Latest News Live : અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધોધમાર એન્ટ્રી, વિવિધ વિસ્તારો જળબંબાકાર
