અમેરિકાના નવા રાષ્ટ્રપતિનું નામ ફાઈનલ થઈ ગયું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પ દેશની કમાન સંભાળવા જઈ રહ્યા છે. તેઓ આવતા વર્ષે 20 જાન્યુઆરીએ શપથ લેશે, ત્યારબાદ તેમની સરકાર સત્તાવાર રીતે રચાશે.
જો કે ટ્રમ્પના પરત ફર્યા બાદથી ભારતીયો સહિત વિદેશી વિદ્યાર્થીઓના મનમાં તેમના ભવિષ્યને લઈને ચિંતાઓ થઈ રહી છે. વિદ્યાર્થીઓને લાગે છે કે ટ્રમ્પ સરકાર ઈમિગ્રેશન નીતિને વધુ કડક બનાવશે.
યુએસ એમ્બેસીના એજ્યુકેશન એન્ડ કલ્ચરલ એટેચ (ડિપ્લોમેટ) એડેલે ગિલેને સ્ટુડન્ટ વિઝા અને ઓપ્શન પ્રેક્ટિકલ ટ્રેનિંગ સંબંધિત ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. નવી સરકાર બની ત્યારથી વિદ્યાર્થીઓ આને લઈને ખૂબ જ ચિંતિત છે. તેમના દ્વારા વિદ્યાર્થીઓને એક અમૂલ્ય સલાહ આપવામાં આવી છે, જે એવા સમયે આવી છે જ્યારે અમેરિકાનો ઓપન ડોર્સ રિપોર્ટ બહાર પડવાનો છે. આમાં આપણે ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અને અમેરિકન યુનિવર્સિટીઓમાં તેમના વર્ચસ્વ વિશે જાણીશું.
ટ્રમ્પના આગમનથી ભારતીય વિદ્યાર્થીઓને થશે અસર?
મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં એડેલ ગિલેનને પૂછવામાં આવ્યું કે શું ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસીની વિઝા નીતિ પર મોટી અસર થવાની અપેક્ષા છે. ભારતીય વિદ્યાર્થીઓ ટૂંકા સ્ટુડન્ટ વિઝા અને કોર્સ પૂરો થયા બાદ OPTમાં ફેરફાર અંગેની અટકળોને લઈને ચિંતિત છે. શું આનાથી ભારતીય વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયાને અસર થશે? તેના જવાબમાં ગિલેને કહ્યું કે "અમે ભવિષ્યની નીતિઓ વિશે કોઈ આગાહી કરી શકતા નથી. અત્યાર સુધી, વિઝા અરજી અને પ્રવેશ પ્રક્રિયા એ જ રહેશે."
ભારતીયોમાં સ્ટુડન્ટ વિઝાની વધી છે માગ
એડેલ ગિલેને કહ્યું કે વિદ્યાર્થીઓ અમારી પ્રાથમિકતા છે અને ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા નંબર વન ડેસ્ટિનેશન છે. આ કારણે છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટુડન્ટ વિઝાની માગમાં ઘણો વધારો થયો છે. તેમને કહ્યું કે ગયા વર્ષે અમે 2018, 2019 અને 2020ની સરખામણીમાં વધુ વિઝા જાહેર કર્યા હતા. વિશ્વની ટોપની ચાર સ્ટુડન્ટ વિઝા પ્રોસેસિંગ પોસ્ટ ભારતમાં હતી. 2024 સ્ટુડન્ટ વિઝા માટે પણ એક મોટું વર્ષ બનવા જઈ રહ્યું છે.
અમેરિકી દૂતાવાસના અધિકારીએ કહ્યું કે ભારતમાં હાજર કોન્સ્યુલર ટીમ બિલકુલ આરામ કરી રહી નથી અને અમે વિઝા સેવાને સુધારવા માટે સતત કામ કરી રહ્યા છીએ. અમે રિમોટ પ્રોસેસિંગનો અમારો ઉપયોગ વિસ્તાર્યો છે. વિઝા રિન્યુઅલ ઈચ્છતા અરજદારોને થોડા દિવસોમાં એપોઈન્ટમેન્ટ મળી રહી છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.