- આતંવાદને પોષતા પાકિસ્તાનને આતંકીઓએ અજગર ભરડો લીધો
- પાકિસ્તાનમાં એક વર્ષમાં આતંકી હુમલામાં કુલ 419 લોકોનાં મોત થયા
- બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય વાહન પર આતંકી હુમલો
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આઈઈડી વિસ્ફોટમાં પાંચ સૈનિકોનાં મોત થયા છે. મળતી માહિતી અનુસાર બુલેદા વિસ્તારમાં રોડ પાસે આઈઈડી વિસ્ફોટ સર્જાયો હતો. જ્યારે સુરક્ષાદળોનું વાહન આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. પાકિસ્તાનની સેનાના મીડિયા તરફથી મળતી માહિતીમાં કહેવાયું કે આઈઈડી વિસ્ફોટ પછી સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. બલૂચિસ્તાનના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ આ ઘટનાને વખોડી કાઢી હતી. ખૈબર પખ્તૂનખ્વાના ઉત્તરી વજીરિસ્તાન અને ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં બે ગુપ્તચર અભિયાનોમાં ચાર આતંકી ઠાર મરાયા હતા. બાદમાં સરકારે એવું નિવેદન આપ્યું હતું કે આ વિસ્તારમાં આતંકવાદીઓને સમાપ્ત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ગત વર્ષે આટલા સૈનિકો મોતને ભેટયા હતા













