• સરકારે હુમલા સંબંધમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી

  • તખતાપલટા પછી થયેલા 1,652 હવાઈ હુમલામાં 936 નાગરિકો હણાયા
  • હુમલામાં કેટલાક બાળકો સહિત 25 મુસ્લિમ રોહિંગ્યા માર્યા ગયા

પિૃમ મ્યાંમારમાં સૈન્ય સોમવારે મોડીરાતે થયેલા હવાઈ હુમલામાં કેટલાક બાળકો સહિત 25 મુસ્લિમ રોહિંગ્યા માર્યા ગયા હતા. હવાઈ હુમલામાં 25 લોકો ઘાયલ પણ થયા હતા. સ્થાનિક મીડિયાએ આ જાણકારી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના વડાએ સૈન્ય હુમલા પરત્વે ચિંતા જાહેર કરી છે. મ્યાંમારના રખાઇન રાજ્યમાં મિનબ્યા ટાઉનશિપની ઉત્તરે આવેલા થાડા ગામ પર આ સૈન્ય હવાઈ હુમલો થયો હતો. સૈન્ય સરકારે આ હુમલા સંબંધમાં હજી કોઈ પ્રતિક્રિયા આપી નથી. સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે આ ઘટના પરત્વે દુઃખ જાહેર કરતાં કહ્યુ હતું કે મ્યાંમારની સ્થિતિ કથળી રહી છે. ગુટરેસના પ્રવક્તાએ કહ્યું કે યુએનના વડા તમામ પ્રકારની હિંસાની ટીકા કરે છે. યુએન વડાએ નાગરિકોની સુરક્ષાને કાયમ કરીને અને હિંસાને ખતમ કરવા પુનઃ આહ્વાન કર્યું હતું. ફેબ્રુઆરી 2021માં આંગ સાન સૂની સરકાર પાસેથી સેન્યે સત્તા આંચકી લીધી તે પછી મ્યાંમારની સરકાર જનતા દ્વારા થઈ રહેલા સશસ્ત્ર સંઘર્ષનો મુકાબલો કરવા હવાઈ હુમલા વધારી રહી છે. સેનાએ 2021માં તખતાપલટો કર્યા પછી થયેલા 1,652 હવાઈ હુમલા 936 નાગરિકોનો ભોગ લઈ ચૂક્યા છે અને 878 ઘાયલ થયા છે. તે હવાઈ હુમલામાં 137 ધાર્મિક ઇમારતો,76 શાળાઓ અને 28 હોસ્પિટલની ઇમારતોને નુકસાન પહોંચી ચૂક્યું છે.

મૃતકોમાં છ બાળકોનો સમાવેશ

રોહિંગ્યા વસતી ધરાવતું થાડા ગામ તે માંડલે શહેરથી 350 કિ.મી.ના અંતરે આવેલું છે. અહીંની 90 ટકા વસતી બૌદ્ધ છે. થાડા નજીક આવેલા બે ગામના લોકોએ કહ્યું કે સોમવારે રાતે અંદાજે 1.30ના સુમારે બે બોમ્બ ઝીંકાયા હતા. તે બોમ્બમારામાં 25 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં છ બાળકોનો પણ સમાવેશ થતો હતો ગામલોકોએ કહ્યું કે યુદ્ધ વખતે આસપાસના ગામમાં ભાગી ગયેલા પણ હવે બોમ્બમારાનો ભોગ બન્યા હતા. રખાઇન પ્રદેશમાં બૌદ્ધ સમુદાય બહુમતી પ્રદેશમાં છે. તેને ભૂતકાળમાં અરાકાન નામે ઓળખ મળેલી હતી. મ્યાંમારના અન્ય જાતિ સમૂહોની જેમ રખાઇન પણ કેન્દ્ર સરકાર સમક્ષ સ્વાયત્તતાની માગણી કરી રહ્યું છે. હથિયારોથી સજ્જ અરાકાન સેના ગયા નવેમ્બર મહિનાથી જ રખાઇનમાં સૈન્ય ચોકીઓ પર હુમલા કરી રહી છે.


  • Follow us on: