• અલ ફલાહ રોડ પરની મદીના મસ્જિદની પાસે થયો વિસ્ફોટ
  • લોકો ઈદ મિલાદ-ઉન-નબીના અવસરે થયા હતા એકઠા
  • આ હુમલાને આત્મઘાતી વિસ્ફોટ હોવાની શક્યતા ગણાવાઈ

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો જેમાં 20 લોકોના મોત થયાના સમાચાર છે. મૃતકોમાં પોલીસ દળના કેટલાક લોકો પણ સામેલ છે. અન્ય કેટલાક લોકો ઘાયલ થયાનું સામે આવ્યું છે. આ જાણકારી સામે આવી ત્યારે જાણવા મળ્યું કે મસ્તુંગમાં અલ ફલાહ રોડ પરની મદીના મસ્જિદની પાસે વિસ્ફોટ થયો છે. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ઈદ મિલાદ-ઉન-નબીના અવસરે એક જુલુસમાં ભાગ લેવા અહીં એકઠા થયા હતા.

મસ્તુંગના એસએસપી શોએબ મસૂદે કહ્યું કે હુમલામાં 20 લોકોના મોત થયા છે તો 50 લોકો ઘાયલ થયા છે. તેમના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ હુમલાને આત્મઘાતી વિસ્ફોટ હોવાની શક્યતા ગણાવાઈ રહી છે. જો કે આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.


હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર

વિસ્ફોટ બાદ અહીંની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે અને હોસ્પિટલના સ્ટાફને તાત્કાલિક પહોંચી જવાની સૂચના આપવામાં આવી છે. વિસ્ફોટમાં એક નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી)નું મોત થયું છે. જ્યારે વધુ જાનહાનિ થવાની આશંકા છે. અત્યાર સુધી આ વિસ્ફોટની જવાબદારી કોઈએ લીધી નથી. પાકિસ્તાની તાલિબાન (TTP) એ એક નિવેદનમાં તેની સંડોવણીનો ઇનકાર કર્યો છે. ઇસ્લામિક સ્ટેટના પાકિસ્તાન પ્રકરણે મસ્તુંગમાં છેલ્લા મોટા બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી હતી.

  • Follow us on: