બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર ડો.તૌહીદ હુસૈને જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સરકારે સત્તાવાર રીતે ભારત સરકાર પાસે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પરત મોકલવાની માંગ કરી છે. આજે મંત્રાલયમાં મીડિયા સાથે વાત કરતા, હુસૈને કહ્યું કે બાંગ્લાદેશે ભારત સરકારને "નોટ વર્બેલ" મોકલી છે, જેમાં દેશમાં ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરવા હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરવામાં આવી છે.

5 ઑગષ્ટથી છે ભારતમાં 
મહત્વનું છે કે 77 વર્ષીય શેખ હસીના બાંગ્લાદેશમાં હિંસક વિરોધ બાદ 5 ઓગસ્ટે ભારત આવ્યા હતા. ત્યારથી તેઓ ભારતમાં રહી રહ્યા છે. ઢાકા સ્થિત ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT) એ હસીના અને કેટલાક ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ, સલાહકારો અને સૈન્ય અને અધિકારીઓ સામે માનવતા વિરુદ્ધ અપરાધ અને નરસંહાર માટે એક ધરપકડ વોરંટ જાહેર કર્યુ છે.

ભારત સરકારને સંદેશ મોકલ્યો

વિદેશ બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને તેમના કાર્યાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે ભારત સરકારને "નોટ વર્બેલ" (રાજદ્વારી સંદેશ) મોકલીને કહ્યું છે કે બાંગ્લાદેશ તેમને ન્યાયિક પ્રક્રિયા બાકી હોય પરત બોલાવવા માગે છે. ગૃહ સલાહકાર જહાંગીર આલમે જણાવ્યું હતું કે તેમની ઓફિસે વિદેશ મંત્રાલયને પત્ર મોકલ્યો છે જેથી કરીને ભારતમાંથી હાંકી કાઢવામાં આવેલા વડા પ્રધાનના
પ્રત્યાર્પણની સુવિધા આપવામાં આવે

એક પ્રશ્નના જવાબમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમે તેમના પ્રત્યાર્પણ અંગે વિદેશ મંત્રાલયને પત્ર મોકલ્યો છે. આ પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે વધુમાં તેમણે કહ્યું કે ઢાકા અને નવી દિલ્હી વચ્ચે પહેલાથી જ પ્રત્યાર્પણ સંધિ છે અને આ સંધિ હેઠળ શેખ હસીનાને બાંગ્લાદેશ પરત લાવી શકાય છે.
  • Follow us on: