• અકસ્માતમાં 2000થી વધુ શેલ્ટર હોમ નષ્ટ થઇ ગયા
  • કેમ્પમાં કેટલાંક લોકો ગુમ હોવાનું કહેવાય છે
  • આગ કુતુપાલોંગ વિસ્તારમાં લાગી હતી

બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે બનાવામાં આવેલા રિફ્યુજી કેમ્પવાળા વિસ્તારમાં આગ લાગી ગઇ. અકસ્માતમાં 2000થી વધુ શેલ્ટર હોમ નષ્ટ થઇ ગયા. આ દરમ્યાન કોઇની જાનહાનિ થઇ નથી. જો કે કેટલાંક લોકો ગુમ હોવાનું કહેવાય છે. લોકોનું કહેવું છે આગે તેમની પાસેથી બધુ છીનવી લીધું. આગ લાગવાનું કારણ અકબંધ છે.

બાંગ્લાદેશના રિફ્યુજી કમિશ્નર મિજાનુર રહેમાને કહ્યું કે આગ કુતુપાલોંગ વિસ્તારમાં લાગી હતી. અહીં સૌથી વધુ શરણાર્થી રહે છે. 12000થી વધુ લોકો બેઘર થઇ ગયા છે. હવે આ ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તેમાં આગ લાગ્યા બાદ ભાગદોડ, ધુમાડાના ગોટેગોટા અને તબાહી દેખાય રહી છે.

આગ ઓલવવામાં અંદાજે 3 કલાક લાગ્યા

રિફ્યુજી કેમ્પમાં રહેતા મામુન જૌહરે કહ્યું કે મારું ઘર-દુનિયા તબાહ થઇ ગયું. આગે મારું બધું જ છીનવી લીધું. હવે મારી પાસે કંઇ બચ્યું નથી. તો ઘટાસ્થળ પર હાજર ફાયરબ્રિગેડના અધિકારીએ કહ્યું કે આગળ ઓલવવામાં સાડા ત્રણ કલાક લાગ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ શોધવામાં આવી રહ્યું છે.

અધિકારીએ કહ્યું કે રિફ્યુજી કેમ્પ પહાડી વિસ્તારમાં આવેલ છે. અહીં લાગેલી આગ ખૂબ જ વિકરાળ અને ઝડપથી ફેલાઇ હતી. ફાયરબ્રિગેડના કર્મચારીઓને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડતી હતી. લોકોને રેસ્ક્યૂ કરવામાં પણ ઘણો સમય લાગ્યો હતો. જો કે આગ પર હવે સંપૂર્ણકાબૂ મેળવી લેવામાં આવ્યો છે.