- દરિયામાં સળગી રહેલા જહાજથી ઈન્ડિયન નેવીએ વિદેશી સભ્યોને બચાવ્યા
- ભારતીય નેવીએ સોશિયલ મીડિયા પર આ અંગેની આપી જાણકારી
- હુતી બળવાખોરોએ રાતા સમુદ્રમાં કાર્ગો શિપ પર ડ્રોન હુમલો કરતા શિપમાં આગ લાગી હતી
ભારતીય નેવીએ એડનની ખાડીમાં ડ્રોન હુમલાની ઝપટે આવેલા લાયબેરિયાના ધ્વજ ધરાવતા કોમર્શિયલ જહાજની મદદ માટે તરત કાર્યવાહી કરી હતી. નેવી તરફથી આ સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી. હુતી બળવાખોરોએ રાતા સમુદ્રમાં જુદાજુદા કોમર્શિયલ જહાજો પર હુમલા પર વધારતા વૈશ્વિક ચિંતાઓ વચ્ચે આ ઘટના સામે આવી હતી. ગત કેટલાક અઠવાડિયાથી ભારતીય નેવીએ પશ્ચિમી હિંદ મહાસાગરમાં ઘણા કોમર્શિયયલ કાર્ગો જહાજ પર હુમલા પછી તેમને પદદ કરી રહી છે. નેવીએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટ મુકીને જણાવ્યું કે નેવીએ એડનની ખાડીમાં એક શિપિંગમાં થયેલી ઘટના અંગે ખૂબ જલ્દી પ્રતિક્રિયા આપી હતી.













