- બ્રાઝિલમાં પૂરને લીધે 14 લાખ લોકો અસરગ્રસ્ત
- બ્રાઝિલનું રિયો ગ્રેનેડ ડો સુલ રાજ્ય પૂરથી ઝઝૂમી રહ્યું છે
- પૂરથી જનતા ત્રાહિમામ, સરકારની ચિંતામાં વધારો
બ્રાઝિલ અત્યારે કુદરતી હોનારતથી ઝઝૂમી રહ્યું છે. બ્રાઝિલના દક્ષિણમાં આવેલું રિયો ગ્રેનેડ ડો સુલ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી મૂશળધાર વરસાદને લીધે પૂર આવ્યું છે. આ પૂરને કારણે આશરે 100 લોકોનાં મોત થઈ ગયા છે. પૂરથી સાડા 14 લાખ લોકોને અસર થઈ છે. બે લાખ લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. બ્રાઝિલની સિવિલ ડિફેન્સ એજન્સીના આંકડાઓ અનુસાર પૂર અને વરસાદને લીધે અત્યાર સુધી 99,800 ધર આંશિક અથવા પૂર્ણ રૂપથી નાશ પામ્યા છે.













