• મૃત્યુ પછીની ઘટનાઓની સચ્ચાઈ જાહેર કરી

  • હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામેલી કીર્સ્ટી બોર્ટોફ્ટએ બાદમાં કહ્યું
  • મારો આત્મા સામેના રૂમમાં હતો, મારી બહેનપણીને મારા પિતા માટે લિસ્ટ લખવા કહેતી હતી

એક બ્રિટિશ મહિલાએ મૃત્યુ પછીના પોતાના અનુભવોને શેર કર્યા છે. કીર્સ્ટી બોર્ટોફ્ટનામની ત્રણ બાળકોની માતા એર રાતે પતિ સ્ટુ સાથે બેઠી હતી. સોફા પર બેઠા બેઠા જ કીર્સ્ટી બોર્ટોફ્ટ અચાનક કોમામાં સરી પડી. સામે બેઠેલો પતિ કાંઇ સમજે તે પહેલાં તો શરીર મૃતવત થઇ ગયું. પતિ તરત પત્નીને હોસ્પિટલ લઇ ગયા. અંગ્રેજી વેબસાઇટ મેટ્રોના જણાવ્યા મુજબ તબીબોએ જણાવ્યું હતું કે તે મહિલાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો ક્લીનકલી કોમામાં સરી પડી હતી. તબીબોના મતે બચવાની સંભાવના 6 ટકા જ હતી. કીર્સ્ટી બોર્ટોફ્ટના બચવાની કોઇ સંભાવના નહોતી. પરંતુ 40 મિનિટ પછી મહિલા ફરી જીવતી થઇ ગઇ.

40 મિનિટ સુધી નિષ્ચેષ્ઠ થઇ ગયા પછી તેણે ફરી આંખો ખોલી અને તે 40 મિનિટ સુધી શું અનુભવ થયો તેની વાત કરી તો બધા ચકિત રહી ગયા. મોતના મોંઢામાંથી બહાર આવેલી મહિલાએ દાવો કર્યો કે આ દરમિયાન તેણે ખુલ્લી આંખે અનેક વસ્તુ દેખી. તેની ચામડી પર અબજ પેટર્ન બની હોવાનું જોયું. તેણે દાવો કર્યો કે તેણે અજ્ઞાત ઘટનાઓને જોઇ હતી.

મૃત્યુ પછી શું બન્યું ?

કીર્સ્ટી બોર્ટોફ્ટે કહ્યું કે , 'મારા કુટુંબીજનોને બાદ કરતાં કોઇને જાણકારી નહોતી કે શું બની રહ્યું છે? મારા મનસિક ચિકિત્સક મિત્રે મારી બહેનનો સંપર્ક કરીને પુછયું કે શું ચાલી રહ્યું છે? મારી બહેનપણીએ મને મોતના મુખમાંથી બહાર લાવવામાં મદદ કરી. મેં મારી બહેનપણીને કહ્યું કે મારૂ શરીર દુઃખી રહ્યું છે. મને નથી લાગતું કે હું પાછી શરીરમાં જઇ શકીશ. પરંતુ તેણે કડક વર્તાવ કરીને મારા આત્માને ફરી શરીરમાં આવવા કહ્યું.' મહિલાએ કહ્યું કે મારો આત્મ બહેનપણીના સામે વાળા ખંડમાં હતો. મેં બહેનપણીને મારા બાળકો અને પિતા માટે લિસ્ટ લખવા કહી રહી હતી.

 સૌથી અચરજ પહોંચાડતી વાત એ છે કે આ દરમિયાન મહિલાને હૃદય અને ફેફસામાં જે નુકસાન થયું હતું તે નુસાન સ્કેનિંગમાં પણ જોવા મળતું નહોતું. મહિલાએ કહ્યું કે,' 40 મિનિટ પછી મને નવું જીવન મળ્યું તો મને અહેસાસ થયો કે મારે સાજા થવા માટે શું કરવાની જરૂર છે. હોશ આવતાં મેં તબીબોને કહ્યું કે મારા ફેફસા સાજા થઇ ચુક્યા છે. તબીબોએ પૂછયું કે કઇ રીતે ? તો મેં તેમને મારી વીતક સંભળાવી હતી.'


  • Follow us on: