- કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ હિન્દુ મંદિરોને બનાવ્યા નિશાન
- મંદિરની બહારની દિવાલો પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખ્યા
- જે મંદિર પર હુમલો થયો તે મંદિર માતા ભમેશ્વરી દુર્ગા મંદિર છે
કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરનો કેસ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે શહેરનો છે, જ્યાં એક મંદિરને તેની બહારની દિવાલો પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર સાથે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા વેનકુવરમાં ભારતના કોન્સ્યુલેટને "બંધ" કરવાની ધમકી આપ્યાના એક દિવસ બાદ તાજેતરની ઘટના બની છે.
એક અહેવાલ મુજબ જે મંદિર પર હુમલો થયો તે માતા ભમેશ્વરી દુર્ગા મંદિર છે. આ ઘટના ગુરુવારે સવારે બની હતી. જ્યારે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ને મંદિરને થયેલા નુકસાનની માહિતી મળી હતી. મંદિર પ્રબંધનના સભ્ય રોહિતે મીડિયાને જણાવ્યું કે મંદિરની બહારની દિવાલ પરના ભીત ચિત્રો હટાવી દેવામાં આવ્યા છે.










