• કડક વલણ પછી ભારતની સલાહ ગળે ઉતરી અને ધીમે ધીમે ભાન
  • ફુલતાફાલતા આતંકવાદથી કેટલું ભારે નુકસાન થાય છે તેનો કેનેડાને અહેસાસ
  • ભારતીય સમુદાય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ કરવામાં આવી
ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાનો ભારત પર ખોટો આરોપ લગાવનાર કેનેડાને હવે કડક વલણ પછી ભારતની સલાહ ગળે ઉતરી છે અને ધીમે ધીમે ભાન થયું છે. તેણે હવે કહ્યું છે કે તેમનાં દેશમાં નફરતને કોઈ સ્થાન નથી. ભારતે તેને વારંવાર કેનેડામાં આશરો લઈ રહેલા આતંકીઓ સામે આકરી કાર્યવાહી કરવા માગણી કરી હતી. કેનેડાની સરકાર તેની સામે આંખ આડા કાન કરતી હતી અને ભારતની માગણીની અવગણના કરતી હતી. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં હવે જ્યારે કડવાશ આવી છે ત્યારે તેની ધરતી પરથી ચાલી રહેલા અને ફુલતાફાલતા આતંકવાદથી કેટલું ભારે નુકસાન થાય છે તેનો કેનેડાને અહેસાસ થઈ રહ્યો છે. કેનેડાની સરકારે કહ્યું છે કે તેના દેશમાં નફરત, આક્રમકતા અને ધમકીઓને કોઈ સ્થાન નથી. ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયોમાં કેનેડામાં વસતા હિન્દુઓને ભારત પાછા ચાલ્યા જવાની ધમકી આપી છે. આ પછી ભારતીય સમુદાય વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ કરવામાં આવી રહી છે. આથી હિન્દુ સમુદાયમાં ડર અને ચિંતા જન્મી છે.

  • Follow us on: