- ચીનમાં તેની શૂન્ય-કોવિડ નીતિને તોડવાનું શરૂ કર્યું
- 21 ડિસેમ્બરના રોજ 2,352 દર્દીઓ સાજા થયા
- ચીનમાં 13 લાખથી 21 લાખ લોકોના મોત થઈ શકે છે
ચીનમાં કોરોનાના કેસની સંખ્યા એક અઠવાડિયામાં ટોચ પર પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે બેઇજિંગમાં સમગ્ર દેશની તુલનામાં 4000થી ઓછા નવા લક્ષણવાળા સ્થાનિક સંક્રમણના કેસ સામે આવ્યા છે. અને સાથે સંક્રમણની તીવ્રતા અન્ય પ્રાંતોની તુલનામાં ઓછી છે. આ દરમિયાન રાજધાનીમાં કોરોના સંક્રમણને કારણે કોઈ નવા મૃત્યુના અહેવાલ નથી. બર્નાર્ડ ઓર અને કેસી હોલે ઓસ્ટ્રેલિયન એસોસિએટેડ પ્રેસમાં આ માહિતી આપી હતી.
વધશે ચીનની મુશ્કેલીઓ
આ મહિને કોરોનાના કેસોમાં વધારા વચ્ચે ચીને દેશમાં તેની શૂન્ય-કોવિડ નીતિને તોડવાનું શરૂ કર્યું, જેણે સંક્રમણને વધારવામાં કોઈ કસર છોડી ન હતી. ચીનના કોવિડ નિયંત્રણના પગલાંએ અર્થવ્યવસ્થાને લગભગ અડધી સદીમાં તેના સૌથી નીચા વિકાસ દરે ધીમું કર્યું છે, વૈશ્વિક સપ્લાય ચેન અને વેપારને અટકાવ્યો છે. મળતી માહિતી અનુસાર બીમાર કામદારોના ઝડપી ઘટાડાને કારણે આવતા વર્ષે અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર આવે તે પહેલા ચીનને ટૂંકા સમય માટે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
કોરોનાના ગંભીર કેસોની સંખ્યામાં 45%નો વધારો
એક રિપોર્ટ અનુસાર સંક્રમણના 3,030 નવા કેસ નોંધાયા છે, પરંતુ કોઈ નવા મૃત્યુ થયા નથી. 21 ડિસેમ્બરના રોજ 2,352 દર્દીઓ સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ચેપગ્રસ્ત દર્દીઓ સાથે નજીકના સંપર્ક ધરાવતા 56,880 લોકોને તબીબી દેખરેખમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ચીનના નેશનલ હેલ્થ કમિશન અનુસાર ગંભીર કેસોની સંખ્યામાં 45 ટકાનો વધારો થયો છે.
ચીનમાં 13 લાખથી 21 લાખ લોકોના મોત થઈ શકે છે
તાજેતરના અહેવાલ મુજબ, લોકોના સંક્રમણના દર અને અન્ય સંજોગોના અભ્યાસના આધારે લગભગ 1.5 મિલિયન ચીની નાગરિકોના મૃત્યુની આગાહી કરવામાં આવી છે. આ આંકડાઓ અન્ય તાજેતરના આંકડાઓ સાથે પણ મેચ થાય છે, જેમાં ગયા અઠવાડિયાના જર્નલ 'ધ લેન્સેટ'ના અહેવાલનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે ચીનમાં પ્રતિબંધો હળવા થયા બાદ કોરોના વાયરસના સંક્રમણને કારણે 13 લાખથી 21 લાખ લોકોના મોત થઈ શકે છે. આ સિવાય 'ધ લેન્સેટ'ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'મૃતકોની સંખ્યાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. વૃદ્ધો અને નબળા લોકોને આપવામાં આવતી એન્ટી-કોવિડ રસીની સંખ્યા પર ઘણુ નિર્ભર રહેશે.









