• ચાઈના બે ખાતે લઈ જવામાં આવ્યું હતું
  • ટેક-ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું
  • PT-6 એરક્રાફ્ટનો ઉપયોગ તાલીમ માટે થાય છે 

શ્રીલંકા એરફોર્સનું એક ચીની બનાવટનું પ્રશિક્ષણ વિમાન સોમવારે ટેકઓફ થયાના થોડા સમય બાદ ક્રેશ થયું હતું, જેમાં પાઈલટ અને એક અધિકારીનું મોત થયું હતું એરફોર્સના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. શ્રીલંકાના વાયુસેનાના કમાન્ડર એર માર્શલ ઉદેની રાજપક્ષે જણાવ્યું હતું કે, PT-6 એરક્રાફ્ટ, જેનો ઉપયોગ પાઈલટોને તાલીમ આપવા માટે કરવામાં આવે છે, તે ત્રિંકોમાલીના એરફોર્સ સ્ટેશનથી ટેક-ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું.

ચાઈના બે ખાતે લઈ જવામાં આવ્યું હતું

એરફોર્સ મીડિયા ગ્રુપના ડાયરેક્ટર કેપ્ટન દુષણ વિજેસિંઘેએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટને હવાઈ પરીક્ષણ માટે શ્રીલંકા એરફોર્સ સ્ટેશન ચાઈના બે ખાતે લઈ જવામાં આવ્યું હતું. આ પ્લેન સવારે 11:25 વાગ્યે ટેકઓફ થયું હતું અને 11:27 વાગ્યે ક્રેશ થયું હતું.

વિમાનમાં સવાર પાઇલટ અને એન્જિનિયરના મૃત્યુની પુષ્ટિ કરતા તેમણે કહ્યું કે શ્રીલંકાના વાયુસેના દ્વારા અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. તમિલ બહુમતી ધરાવતું ત્રિંકોમાલી એ શ્રીલંકાના ઉત્તરપૂર્વ કિનારે આવેલું બંદર શહેર છે.

  • Follow us on: