- ઈક્વાડોરમાં ભૂસ્ખલનને લીધે વિનાશ સર્જાયો
- મૂશળધાર વરસાદ બાદ ભૂસ્ખલન થતા સમગ્ર વિસ્તારમાં કીચડ પથરાયો
- 30થી વધુ લોકો હજી કીચડમાં ફસાયેલા હોવાની આશંકા છે
ઈક્વાડોરમાં મૂશળધાર વરસાદને લીધે લોકોની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્ય ઈક્વાડોરમાં ભૂસ્ખલનથી એક હાઈવે પર કાટમાળ પડયો હતો. જેમાં છ લોકો દટાઈને મોત થઈ ગયા હતા અને 30 અન્ય લોકો ગુમ થયા છે. અધિકારીઓએ આ ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે ભારે વરસાદને કારણે દેશભરમાં નદીઓ ભારે તોફાની બની છે. ઈક્વાડોરમાં ભારે વરસાદથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ભૂસ્ખલનને લીધે સ્થિતિ ખરાબ













