- નીરવ મોદીની કુલ રૂપિયા 2650 કરોડની સંપત્તિ ઉપર જપ્તીની કાર્યવાહી
- ભારતમાંથી ભાગેલા અને પ્રત્યાર્પણ કેસ હારી ચૂકેલા નીરવ મોદી હાલ લંડનની જેલમાં છે
- નીરવ મોદીના સાથીઓની સંપત્તિઓ પણ જપ્ત કરાઈ છે
ઇડી દ્વારા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી સામે મની લોન્ડરિંગ કેસમાં થઇ રહેલી તપાસમાં એજન્સીએ તેની સાથે સંકળાયેલી હોંગકોંગમાં આવેલી કંપનીના ઝવેરાત, હીરા અને બેન્ક થાપણો સહિત રૂપિયા 253.62 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સીએ શુક્રવારે આ જાણકારી આપી હતી. આ સાથે જ નીરવ મોદી સામેના મની લોન્ડરિંગ કેસમાં ઇડી અત્યારસુધીમાં રૂપિયા 2650.07 કરોડની સંપત્તિ પર ટાંચ કે જપ્તીની કાર્યવાહી કરી ચૂકી છે.
નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં છે. ભારતે તેના પ્રત્યાર્પણ માટે કરેલી અરજી સામેની લડાઇ નીરવ મોદી હારી ગયા છે. સીબીઆઇ પંજાબ નેશનલ બેન્ક સાથે થયેલા બે અબજ ડોલરના કૌભાંડ કેસની તપાસ કરી રહી હતી.










