- બંધકોને મુક્ત કરવા ઈઝરાયેલ અને કતાર વચ્ચે મંત્રણા
- મોસાદના વડા ડેવિડ બાર્નિયા અને કતારના PM વચ્ચે થશે બેઠક
- ઇઝરાયેલની સેના દક્ષિણ ગાઝામાં હમાસના અડ્ડાઓ કર્યા ધ્વસ્ત
પશ્ચિમ એશિયામાં બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા હિંસક સંઘર્ષમાં 19 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. આ દરમિયાન બંધકોને હમાસની ચુંગાલમાંથી છોડાવવાના પ્રયાસો તેજ કરવામાં આવે તેવી શક્યતા છે. ઈઝરાયેલ અને કતાર વચ્ચે ફરીવાર મંત્રણા શરૂ થવાના સંકેત દેખાઈ રહ્યા છે.
બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા હિંસક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 19 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના વડા ડેવિડ બાર્નિયા અને કતારના વડાપ્રધાન વચ્ચેની બેઠક બાદ હમાસની ચુંગાલમાં ફસાયેલા કેદીઓને છોડાવવાના પ્રયાસો કરવામાં આવશે. કતાર અને ઈઝરાયેલ સંઘર્ષ વચ્ચે વાતચીત કરવા માટે સંમત થયા છે. કતારના વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની અને મોસાદના વડા ડેવિડ બર્નિયા વચ્ચે વાતચીત થવાની અપેક્ષા છે.













