- પાકિસ્તાન અને ભારત વચ્ચે દુશ્મનાવટમાં ઘણા વર્ષોથી બાસમતી ચોખાનો સમાવેશ
- યુરોપિયન યુનિયને ભારતીય બાસમતી ચોખાને કોઈ વિશેષ પ્રવેશ આપ્યો નથી
- પાકિસ્તાને ભારત કરતાં યુરોપિયન બજારોમાં વધુ બાસમતી ચોખાની નિકાસ કરી
પાકિસ્તાન અને ભારત વચ્ચે દુશ્મનાવટમાં ઘણા વર્ષોથી બાસમતી ચોખા પણ જોવા મળે છે. પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયે શુક્રવારે સેનેટ પેનલને જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયને ભારતીય બાસમતી ચોખાને કોઈ વિશેષ પ્રવેશ આપ્યો નથી. સેનેટ કમિટિ ઓન કોમર્સની બેઠક દરમિયાન સાંસદોના પ્રશ્નોના જવાબ આપતી વખતે મંત્રાલયના સચિવે પણ કાલ્પનિક જવાબ આપ્યા હતા. સચિવે કહ્યું હતું કે, હાલમાં પાકિસ્તાન ભારત કરતાં યુરોપિયન બજારોમાં વધુ બાસમતી ચોખાની નિકાસ કરી રહ્યું છે.
ભારતે આ માટે GI ટેગ માટે અરજી કરી હતી જે બંને દેશો વચ્ચે વિવાદનું કારણ બની ગયું છે. જો ભારતને આ વિશેષ એક્સેસ મળશે તો પાકિસ્તાનને મોટું નુકસાન થશે. સચિવ સુલેહ અહેમદ ફારૂકીએ દાવો કર્યો હતો કે EUએ વિનંતી પર હજુ સુધી કોઈ પ્રગતિ કરી નથી. જ્યારે ભારતની વિનંતી ઓસ્ટ્રેલિયાએ ફગાવી દીધી છે. સાથે જ તેમનું કહેવું છે કે અમેરિકામાં તેની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે.










