- યુદ્ધવિરામ જાહેર કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધારે ભયાનક બની શકે
- દવાઓ, મેડિકલ સપ્લાય, ભોજન અને ઇંધણના કાફલાઓને લોકો રસ્તામાં જ લૂંટી રહ્યા છે
- રાહત કામગીરી મુશ્કેલ બની રહી છે
યુદ્ધના ભયાનક પરિણામોનો સામનો કરી રહેલાં ગાઝા પટ્ટીના લોકો હવે ભૂખમરાની કગાર પર પહોંચી ગયાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં જ યુદ્ધવિરામ જાહેર કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધારે ભયાનક બની શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો દાવો છે કે ગાઝામાં હાલની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે આ ક્ષેત્રની 36 હોસ્પિટલમાંથી માંડ 15 હોસ્પિટલો અત્યંત પાંખી સુવિધાઓ સાથે કામ કરી રહી છે. ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ ગૈબ્રેસિસે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ યુદ્ધમાં દરમિયાનગીરી કરવાની અપીલ સાથે જણાવ્યું હતું કે ગાઝામાં ગંભીર માનવીય સંકટ પેદા થઇ શકે છે.
રાહત કામગીરી મુશ્કેલ બની રહી છે










