• બાંગ્લાદેશના મદારીપુર જિલ્લાના કુતુબપુર વિસ્તારમાં ગંભીર અકસ્માત
  • ફાયર સર્વિસ અને પોલીસ સ્થાનિક લોકો સાથે બચાવ કામગીરીમાં જોડાઈ
  • ઈજાગ્રસ્તોને તેમની ઈજાની ગંભીરતાને આધારે સ્થાનિક અને ઢાકાની હોસ્પિટલમાં ખસેડાયા
બાંગ્લાદેશના મદારીપુર જિલ્લાના કુતુબપુર વિસ્તારમાં રવિવારે સવારે પદ્મ બ્રિજના એપ્રોચ રોડ પર ઢાકા જતી બસ પલટી જતાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હતા અને 30 અન્ય ઘાયલ થયા હતા. જો કે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. તમને જણવી દઈએ કે, હજુ પણ મૃત્યુંઆંક વધે તેવી આશંકા સેવાઈ રહી છે.

શિબચર હાઈવે પોલીસ સ્ટેશનના અધિકારી અબુ નઈમ એમડી મોફઝેલ હકે જણાવ્યું હતું કે ફાયર સર્વિસ અને પોલીસ સ્થાનિક લોકો સાથે બચાવ કામગીરી કરી રહી છે. ઈજાગ્રસ્તોને તેમની ઈજાની ગંભીરતાને આધારે સ્થાનિક અને ઢાકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈમાદ પરિભાન બસના ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો જેના કારણે તે ખીણમાં પડી હતી. સવારે 8:15 વાગ્યા સુધીમાં બસના કાટમાળમાંથી બસના ડ્રાઈવર સહિત 14 મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને અન્ય બે લોકો હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા.

ઘાયલ મુસાફરોને અનેક હોસ્પિટલમાં દાખલ કરાયા

મદારીપુરના પોલીસ અધિક્ષક મોહમ્મદ મસૂદ આલમે જણાવ્યું હતું કે, ઘાયલ મુસાફરોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • Follow us on: