- નસરુલ્લાહ અને ભારતીય અંજુની લવસ્ટોરીની બંને દેશોમાં ચર્ચાનો વિષય
- અંજુએ નસરુલ્લાહ પાસે અપર ડીરના ફોટો માંગ્યા બાદમાં લવ સ્ટોરી આગળ વધી
- અંજુને અપર ડીર બહુ ગમ્યું ત્યારથી તે પાકિસ્તાન જવાના સપના જોવા લાગી
પાકિસ્તાનના નસરુલ્લાહ અને ભારતની અંજુની લવસ્ટોરી હાલમાં બંને દેશોમાં ચર્ચાનો વિષય છે. અંજુ અને નસરુલ્લાહ વિશે કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ લગ્ન કરી લીધા છે. જોકે અંજુએ આ વાતને નકારી કાઢી છે જ્યારે તેણીએ તેના પિતા સાથે ફોન પર વાત કરી તો તેણે લગ્નની વાતને માત્ર અફવા ગણાવી હતી. આ બધા સિવાય નસરુલ્લાહએ પહેલીવાર પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી છે. નસરુલ્લાહએ એક યુટ્યુબ ચેનલને જણાવ્યું છે કે અંજુ કેમ અને કેવી રીતે તેના પ્રેમમાં પડી હતી. તો બીજી તરફ અંજુએ પણ ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે પાકિસ્તાન આવ્યા બાદ તે કેવું અનુભવી રહી છે.
કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી
નાઓમી ખાન અને કામી ક્લિક્સે તેમના પેજ પર અંજુ અને નસરુલ્લાહ વિશે ઘણી માહિતી આપી છે. નસરુલ્લાહને તેની લવ સ્ટોરી વિશે પૂછ્યું તો જણાવ્યું કે કેવી રીતે અંજુ તેના પ્રેમમાં પડી. જ્યારે અંજુએ તેને અપર ડીરના વીડિયો અને ફોટોગ્રાફ્સ માંગ્યા ત્યારે તેમની લવ સ્ટોરી આગળ વધી હતી. અંજુને અપર ડીર બહુ ગમ્યું ત્યારથી તે પાકિસ્તાન જવાના સપના જોવા લાગી હતી. આ સપનું પૂરું કરવા માટે અંજુ પાકિસ્તાનના ખૈબર પહોંચી અને નસરુલ્લા સાથે રહેવા લાગી છે.
અંજુ અને નસરુલ્લાહના રોમેન્ટિક શોટ્સ
વીડિયોમાં અંજુ અને નસરુલ્લાહના કેટલાક રોમેન્ટિક શોટ્સ પણ છે. જ્યારે અંજુને અપર ડીયર વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તેને આ જગ્યા ખૂબ ગમે છે. તેણે નસરુલ્લાહ પાસેથી તેના વિશે જે સાંભળ્યું હતું તેના કરતાં આ સ્થળ વધુ સુંદર છે. અંજુનું માનીએ તો અપર ડીરમાં તેને ઘણી માનસિક શાંતિ મળી રહી છે. જ્યારે અંજુ વિશેના સમાચાર આવવા લાગ્યા ત્યારે નસરુલ્લાહએ તેને માત્ર પોતાની મિત્ર કહી હતી. નસરુલ્લાહએ કહ્યું હતું કે અંજુ તેના વિઝાની મુદત પૂરી થયા બાદ 20 ઓગસ્ટે ઘરે પરત ફરશે.
બોયફ્રેન્ડ રાખવાની ના પાડી
આ સાથે નસરુલ્લાહએ અંજુ સાથે પ્રેમ સંબંધ હોવાના દાવાઓને પણ ફગાવી દીધા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે તેની અંજુ સાથે લગ્ન કરવાની કોઈ યોજના નથી. નસરુલ્લાહ અને અંજુની 2019માં ફેસબુક દ્વારા મિત્રતા થઈ હતી. નસરુલ્લાહ પેશાવરથી લગભગ 300 કિમી દૂર કુલશો ગામમાં રહે છે. અંજુ માન્ય વિઝા પર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના અપર ડીરમાં નસરુલ્લાહને મળવા આવી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને મોકલવામાં આવેલા સત્તાવાર દસ્તાવેજ અનુસાર, અંજુને માત્ર અપર ડીર જિલ્લા માટે 30 દિવસનો વિઝા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શું અંજુ ભારત નહીં આવે?
નસરુલ્લાહ શેરિંગલ સ્થિત યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન સ્નાતક છે અને 5 ભાઈઓમાં સૌથી નાનો છે. અંજુ અને નસરુલ્લાહને નવાબ હાઉસિંગ એસોસિએટ્સ દ્વારા એક પ્લોટ પણ ભેટમાં આપવામાં આવ્યો છે. આ ફર્મના માલિકે એવો પણ દાવો કર્યો છે કે અંજુ અને નસરુલ્લાહ ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જઈ રહ્યા છે. માલિક તુફૈલ ખાને કહ્યું છે કે અંજુએ ઈસ્લામ સ્વીકારી લીધો છે. તે ભારત આવશે કે નહીં તે તેનો અંગત મામલો છે. પરંતુ તે પાકિસ્તાનમાં ખુશ છે. આવી સ્થિતિમાં તેમને નથી લાગતું કે હવે તે પાછી આવશે.