- ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત
- યુદ્ધના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી
- માનવતાવાદી કાયદાનું પાલન કરવા ભારતની અપીલ
ગત મહિનાથી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે ગુરુવારે ફરી એકવાર તણાવ ઓછો કરવા અપીલ કરી હતી. યુદ્ધના કારણે સામાન્ય નાગરિકોની વધતી જતી જાનહાનિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેમની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત પેલેસ્ટિનિયન લોકોને વધુ માનવતાવાદી સહાય મોકલવા પર વિચાર કરી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલના શહેરો પર અભૂતપૂર્વ હુમલા બાદ ઇઝરાયેલ ગાઝામાં મોટા પાયે લશ્કરી કાર્યવાહી ચલાવી રહ્યું છે.













